Kheda : ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી જગન્નાથની રથયાત્રા, કોવિડ પ્રોટોકોલનું કરાયું પાલન

|

Jul 11, 2021 | 10:59 AM

ડાકોરમાં ભગવાન જગન્નાથની સૌથી જુનામાં જુની રથયાત્રા આજે નીકળી છે. આ રથયાત્રાના તમામ રૂટ પર કર્ફયુ લાદી દેવામાં આવ્યું હતું, ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ડાકોરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 249 મી રથયાત્રાના નીકળી છે. જેમાં રથયાત્રાના રૂટ પર કર્ફયૂ (Curfew) વચ્ચે આ રથયાત્રા કાઢવામાં આવી હતી. ઉપરાંત કોવિડ પ્રોટોકોલનું (Covid Protocol) પણ પાલન કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે, દર વર્ષ ભગવાન જગન્નાથની રથયાત્રાના (Jagannath Rathyatra) એક દિવસ પહેલા ડાકોરની રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે આ વખતે કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રાની શરતી મંજુરી મળી હતી.

આજે વહેલી સવારે ડાકોર મંદિરથી નિકળેલી રથયાત્રા 11 કલાકે મંદિરમાં નિજ પરત ફરશે. રથયાત્રાના તમામ રૂટ પર કર્ફયુ લાદી દેવામાં આવ્યો હતો. ઉપરાંત, પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રથયાત્રા નિકળી હતી.

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે સમગ્ર ડાકોર (Dakor) શહેરને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું છે. મંદિરના સંતે (Saint) જણાવ્યું હતું કે, બધી જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે નિકળતી હોય છે, પરંતુ ડાકોરમાં પુષ્ય નક્ષત્રમાં (Pushya Nakshtra) આ રથયાત્રા કાઢવામાં આવે છે. ઉપરાંત, ડાકોરની રથયાત્રાએ ગુજરાતની જુનામાં જુની રથયાત્રા છે.”

અષાઢી બીજના અગાઉના દિવસે નિકળતી આ રથયાત્રાનું ભક્તો માટે વિશેષ મહત્વ છે, આ રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. પરંતુ, આ વખતે કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને આ રથયાત્રા કાઢવામાં આવી છે.

આ રથયાત્રામાં ભગવાન સમગ્ર ગોમતી નદીની (Gomti River) પરિક્રમા કરીને નિજ મંદિર પરત ફરે છે. આ દિવસે ભગવાન ભક્તોને સાક્ષાત દર્શન આપતા હોવાની માન્યતા છે.

 

જુઓ, ડાકોરના ઠાકોરની રથયાત્રા Live :

 

આ પણ વાંચો : Ahmedabad : આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં આપશે દર્શન, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

Next Video