Kutch: બજાર કરતા ટેકાના ભાવે વધુ પૈસા મળતા, ખેડૂતો સામેથી ખરીદ કેન્દ્ર માગી રહ્યા છે: રૂપાલા

|

Apr 24, 2023 | 9:24 AM

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની કમાન સંભાળી ત્યારથી ખેડૂતો માટે સતત તેઓ ચિંતા સેવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર સતત કામગીરી કરી રહી હોવાની વાત રૂપાલાએ કરી હતી.

Kutch: બજાર કરતા ટેકાના ભાવે વધુ પૈસા મળતા, ખેડૂતો સામેથી ખરીદ કેન્દ્ર માગી રહ્યા છે: રૂપાલા

Follow us on

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કચ્છની મુલાકાત લીધી હતી. જે દરમ્યાન અબડાસાના મોથોળા ખાતે ખેતીવાડી માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યુ હતુ. માર્કેટના લોકાર્પણ પ્રસંગે પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની કમાન સંભાળી ત્યારથી ખેડૂતો માટે સતત તેઓ ચિંતા સેવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર સતત કામગીરી કરી રહી છે.

રાયડાનું કેન્દ્ર કચ્છને મળી ગયું – રૂપાલા

ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદીથી લઈને અન્ય યોજનાઓનું દેશમાં અમલીકરણ થઈ રહ્યું છે. ત્યારે કચ્છના ખેડુતોને સંબોધતા તેમણે જણાવ્યુ કે, રાયડાનું કેન્દ્ર કચ્છને મળી ગયું છે હવે ખેડૂતો દ્વારા સૂરજમુખીની ખરીદી અંગે માંગણી કરાઈ છે જે ખેડૂતોની જાગૃતિ દર્શાવે છે. વડાપ્રધાનએ જ્યારથી દેશની શાસન ધૂરા સંભાળી છે ત્યારથી એમ.એસ.પી અંગે ખેડૂતો વધુ જાગૃત થયા છે. સરકાર દ્વારા બજાર કરતા ઉચ્ચ ભાવે ખેત ઉત્પાદોની થતી ખરીદીના કારણે હવે ખેડૂતો ખુદ સામેથી ખરીદ કેન્દ્રની માંગણી કરતા થયા છે, જે ખૂબ જ સારી બાબત છે. ખેડુતો તેનો વધુમાં વધુ લાભ લે તેવી પણ અપીલ કેન્દ્રિય મંત્રી દ્વાર કરવામાં આવી હતી.

વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી

અબડાસામાં ખેડુતોના લાભાર્યે આયોજીત કાર્યક્રમની સાથે કચ્છમાં આયોજીત બે મોટા ધાર્મીક કાર્યક્રમોમાં પણ રૂપાલાએ હાજરી આપી હતી. ભુજ સ્વામીનારાયણ મંદિર દ્રારા આયોજીત નરનારાયણ દ્રિ-શતાબ્દી મહોત્સવમાં પહોચી મહોત્સવમાં આવેલા ભક્તોને તેમણે સંબોધન કર્યું હતું તેમણે કહ્યું ભારતની અર્થવ્યવસ્થા માત્રને માત્ર ગૌ આધારિત જ હોવી જોઈએ અને તેનો પ્રારંભ નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા કરવામાં આવ્યો છે, જેની ખુશી વ્યક્ત કરી હતી. મંદિર બાબતે તેમણે કહ્યું મંદિર દ્રારા જે કાર્યો થાય છે તે દેશહિત માટે થાય છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચો : RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, વિશ્વમાં ફક્ત ભારતે જ કરી શ્રીલંકાની મદદ, રશિયા-યુક્રેન યુદ્ધ પર આપી પ્રતિક્રિયા

રામકથાના પ્રારંભ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની હાજરી

મંત્રી રૂપાલા ભુજની સાથે નખત્રાણા સિંહ ટેકરી ત્રિક્રમ સાહેબ મંદિર ખાતે આયોજીત મોરારી બાપુની રામકથામાં પણ હાજરી આપી હતી. 22 થી 30 એપ્રીલ દરમ્યાન ચાલનારી આ રામકથાના પ્રારંભ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે વિવિધ સંતો પણ કથામાં ઉપસ્થિત રહ્યા હતા કથાના મંચ પરથી પુરૂષોત્તમ રૂપાલાએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વખાણ કરી વિદેશમાં પણ મોરારી બાપુની વાતો થાય છે જે ગૌરવની વાત ગણાવી હતી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article