
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે કચ્છ મુલાકાત દરમિયાન કચ્છ (Kutch) જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ આપી છે. વડાપ્રધાને કચ્છ માટે એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાંચ કેનાલનું (Kutch- Bhuj branch cannel) લોકાર્પણ કર્યુ છે. રૂપિયા 1,745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ નર્મદા નહેરની વિશેષતા અને તેનાથી થતા લાભની વાત કરીએ તો આ કેનાલને કારણે 948 ગામોને મોટો ફાયદો થશે.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने भुज में विभिन्न विकास परियोजनाओं का शिलान्यास और उद्घाटन किया। https://t.co/9g3Xcpf6Xl pic.twitter.com/2iWhCcH4NK
— ANI_HindiNews (@AHindinews) August 28, 2022
કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે: PM મોદી
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, 2001ની તબાહી બાદ કચ્છમાં થયેલુ કામ અકલ્પનીય હોવાનું લોકો માની રહ્યા છે. આજે કચ્છના વિકાસને લગતા રૂ. 4,000 કરોડથી વધુના અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાણી, વીજળી, રસ્તા અને ડેરી સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે. આ ગુજરાતમાં કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે કચ્છના દરેક ઘરે પાણી પહોંચવા લાગ્યુ છે. કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે. જ્યાં પાણી કચ્છ જિલ્લા માટે પડકાર હતો, તેની સામે આજે આ સમસ્યા હલ થઇ છે.
Published On - 3:16 pm, Sun, 28 August 22