
ભારતના ગુજરાતના કચ્છમાં એક એવું ગામ છે, જ્યાં આજે પણ અહીં રહેતા માલધારી લોકો પોતાના ઘર પર પાકી છત નથી બનાવતા, જ્યારે તેઓ નળીયાના બનાવેલા મકાનોમાં રહે છે. તમને કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ યાદ હશે, જેમાં હજારો મકાનો ધરાશાયી થયા હતા. હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, સિસ્મિક ઝોનમાં હોવાને કારણે સણોસરા ગામના લોકો તેમના મકાનો પર કોંક્રીટની છત બાંધતા ડરે છે. લાંબા સમયથી લોકો અહીં નળીયાના મકાનો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તે પછી કચ્છમાં વિકાસના કામો ઝડપથી થવા લાગ્યા અને લોકોમાં ભૂકંપનો ભય સમાપ્ત થયો ત્યારે લોકોએ બે માળના ઈંટના મકાનો બનાવવાનું શરૂ કર્યું. જો કે, સણોસરા ગામ હજુ પણ એવું છે કે જ્યાં લોકો તેમના ઘરની કોંક્રીટની છત નથી બનાવતા. સિસ્મિક ઝોન એટલે શું ? સિસ્મિક ઝોનનો અર્થ એ થાય છે કે સિસ્મિક ઝોન જ્યાં ભૂકંપ આવવાની સૌથી વધુ સંભાવના હોય છે. ભૂકંપની સંવેદનશીલતા મુજબ, ભારત 2થી 5 ઝોનમાં વહેંચાયેલું છે. વિસ્તારની રચના અનુસાર, આ વિસ્તારને ભૂકંપ...