નર્મદે સર્વદે : ગુજરાત સરકારના નિર્ણયથી કચ્છના આટલા ગામમાં મળશે સિંચાઇ માટે નર્મદાના નીર

|

Jan 18, 2022 | 5:25 PM

કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

નર્મદે સર્વદે : ગુજરાત સરકારના નિર્ણયથી કચ્છના આટલા ગામમાં મળશે સિંચાઇ માટે નર્મદાના નીર
Kutch Narmada Water (File Image)

Follow us on

ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  રાજ્યના સરહદી જિલ્લા કચ્છ(Kutch) માટે નર્મદાના વધારાના(Narmada Water)  1  મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1 ના કામો માટે રૂપિયા 4369  કરોડના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ  337.97  કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4  લિંકનું આયોજન કરાયું છે.કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38  જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે.

એટલું જ નહિ, અંદાજે બે લાખ ૮૧ હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.નર્મદાના આ વધારાના પાણી જે ચાર લિન્ક મારફતે ૩૮ જેટલી નાની અને મધ્યમ સિંચાઇ યોજનાઓમાં પહોચાડવાના છે તે ચાર લિન્કમાં ૭ર.૪૬ કિ.મી ની સારણ લિન્ક, ૧૦૬.૦ર કિ.મીટરની સઘર્ન લિન્ક તથા ૧૦૭ કિ.મી ની નોર્ધન લિન્ક અને પર.પ૦ કિ. મીટરની હાઇ કન્ટુર સ્ટોરેજ લિન્કનો સમાવશે થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કચ્છના ઘણા ગામોમાં નર્મદાના પાણી ન પહોંચતા હોવાના કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવવી પડતી હતી. જો કે રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે કચ્છના ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓ નહીં નડે.

આ પણ  વાંચો : Ahmedabad: કોરોનાના કેસ વધતા શહેરમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરવાની માગ વધી

આ પણ  વાંચો : Surat : આવતા મહિને સિવિલમાં આવશે 150 રેસિડન્ટ ડોક્ટર્સ, મેન પાવરમાં થશે વધારો

Next Article