Junagadh: લાંબા સમય સુધી આ પંથકમાં વરસાદની રાહ જોવાઈ રહી હતી. તેવામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જુનાગઢ જિલ્લાના માંગરોળમાં વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.
સમગ્ર રાજયભરમાં ચોમાસુ ખેંચતા જગતના તાત પર ચિંતાના વાદળો ઘેરાયા હતા. પરંતુ હવે ધીમે ધીમે રાજ્યભરમાં ચોમાસુ જોર પકડતું જણાઈ રહ્યું છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો. જેને લઈને ખેડૂતોને ખુશીની લાગણી થઈ હતી. ખેડૂતોની વાવણી પર અમી વરસતા આ પંથકના ખેડૂતો ઘણી રાહત થઈ છે.
આ પણ વાંચો: Porbandar અને Veraval બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ
Published On - 5:40 pm, Mon, 12 July 21