Junagadh : ભવનાથમાં રસ્તા માટે ટનલ બનાવવાનું કામ આઠ માસથી ખોરંભે, તંત્રએ કામ ઝડપથી શરૂ કરવા હૈયાધારણ આપી

|

Jul 28, 2021 | 6:49 PM

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં દામોદર કુંડની સામે વનવે રસ્તો બનાવવા માટે શરૂ કરાયેલું ટનલનું કામ 8 માસથી અટવાયેલું પડ્યું છે. જેને ઝડપથી શરૂ કરવામાં માટે તંત્રએ કવાયત હાથ ધરી છે.

જૂનાગઢ(Junagadh ) ના ભવનાથ વિસ્તારમાં દામોદર કુંડની સામે વનવે રસ્તો બનાવવા માટે શરૂ કરાયેલું ટનલનું કામ 8 માસથી અટવાયેલું પડ્યું છે. જેને ઝડપથી શરૂ કરવામાં માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. જેમાં જૂનાગઢના ભવનાથમાં દામોદર કુંડ તેમજ ગીરનાર દર્શનાર્થે દર વર્ષે લાખો ભાવિકો આવતા હોય છે. અહીં રસ્તો સાંકડો હોય ટ્રાફિક જામની સમસ્યા ખુબ જ રહેતી હોય સ્થાનિક પ્રશાસન દ્નારા વન વે રસ્તો બનાવવા માટે ટનલનું કામ શરૂ કરાયું હતું અને શરૂઆતમાં ખોદકામ પણ કરી નાખ્યું હતું.

હવે સ્થિતિ એવી છે કે ખોદકામને લીધે આ રસ્તા પર અકસ્માતની ભીતિ ઉદભવી છે. તેમજ રસ્તા પર નીકળતા લોકોની જાનહાનીની સંભાવના પણ નકારી શકાય નહી. તેવા સમયે મનપા તંત્રએ આ કામ ઝડપથી પૂર્ણ કરવા લોકોને હૈયાધારણ આપી છે.

આ પણ વાંચો : Pooja Rani : બોક્સર પુજા રાનીએ શાનદાર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, મેડલથી માત્ર એક પગલું દુર

આ પણ વાંચો : જાણો ક્યારે તમને મળી શકે ઇન્કમ ટેક્સની નોટિસ 

Next Video