મિત્રતા હોય તો આવી.. હંમેશા સાથે રહેતા જય વિરુની જોડીનો અસ્ત, મિત્ર વિરુનુ મોત થતા જય પણ એક જ મહિનામાં મૃત્યુ પામ્યો

જય વિરુની જોડીનો અસ્ત, એક સમયે તેની ડણક માત્રથી ભલભલાના રૂંવાડા ઉભા થઈ જતા એ ડણક હવે સદાયને માટે શાંત થઈ ગઈ. આ વાત છે ગીરના પ્રખ્યાત બે સિંહોની દોસ્તીની. જેઓ જન્મથી જ એકબીજાના મિત્ર હતા અને એકના મૃત્યુના સમાચાર બાદ બીજા સિંહે પણ માત્ર એક જ મહિનામાં આ દુનિયાને અલવિદા કહી દીધી.

મિત્રતા હોય તો આવી.. હંમેશા સાથે રહેતા જય વિરુની જોડીનો અસ્ત, મિત્ર વિરુનુ મોત થતા જય પણ એક જ મહિનામાં મૃત્યુ પામ્યો
| Updated on: Aug 08, 2025 | 2:20 PM

મનુષ્યોની દોસ્તીના તો અનેક કિસ્સા સાંભળવા મળે છે પરંતુ પ્રાણીઓની દોસ્તી વિશે ભાગ્યે જ કશુ લખાય છે. આજે આવા જ બે સિંહની દોસ્તીની વાત કરવી છે. જેઓ એકસાથે જન્મ્યા અને જીવ્યા ત્યા સુધી સાથે રહ્યા. ગીરના જંગલમાં જય-વિરુની આ જોડી વિશે ભાગ્યે જ કોઈને ન ખબર હોય એવુ બને. આ સાવજોની દોસ્તીને નજરે નિહાળનારા કહે છે કે આ બંને સાવજની જોડી એટલે 1975માં આવેલી રમેશ સિપ્પીની બ્લોકબસ્ટર ફિલ્મ શોલેની જય-વિરુની રિયલ જોડી. આથી જ તેમને જય-વિરુ નામ આપવામાં આવ્યા હતા. ગીરના જય વિરુ બંને હંમેશા સાથે જ રહેતા અને જંગલનો અન્ય કોઈ સિંહ જો જય કે વિરુ પર હુમલો કરે તો બંને એકબીજાને બચાવવા દોડી જતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગીરની મુલાકાત લીધી ત્યારે ડેડકડી વિસ્તારમાં જ તેમને આ જયવિરુની જોડી મળી ગઈ હતી. આ બંનેને જોઈને પીએમ મોદીએ તેમની ફોટોગ્રાફી કરી હતી અને તેઓ પણ આનંદમાં આવી ગયા હતા કે ગીરના આ બે ભાઈબંધોના દર્શન આટલા જલદી થઈ ગયા. સિંહ ...

Published On - 4:02 pm, Sun, 3 August 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો