Jamnagar: લાખાબાવડ સ્મશાનગૃહમાં 15 યુવાનો દ્વારા સેવાયજ્ઞ, અંતિમવિધિ માટે કરી આપે છે લાકડાની વ્યવસ્થા

|

Apr 25, 2021 | 4:30 PM

માનવજાતિ માટે આ કપરા કાળમાં માનવતા મહેકાવતા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં વિવિધ પ્રકારની સેવાઓ કરવા સ્વયંસેવકો અને દાતાઓ આગળ આવી રહ્યા છે.

માનવજાતિ માટે આ કપરા કાળમાં માનવતા મહેકાવતા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં વિવિધ પ્રકારની સેવાઓ કરવા સ્વયંસેવકો અને દાતાઓ આગળ આવી રહ્યા છે. જામનગરના લાખાબાવડ સ્મશાનગૃહમાં 15 જેટલા યુવાનો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરી આપે છે.

આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ સ્વયંસેવી યુવાનો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હાલ કપરી સ્થિતિમાં સેવાભાવી યુવાનો નિસ્વાર્થ સેવા કરીને મુશ્કેલીના સમયમાં લોકોને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video: કોરાના જાગૃતિ માટે કોરોના બની ગામડામાં ફરતો જુઓ કોરોના માનવ 

Next Video