Jamnagar : વીરાંજલિ કાર્યક્રમ નિહાળવા જનમેદની ઉમટી, જામનગરવાસીઓ દેશ ભક્તિના રંગે રંગાયા

|

Jun 20, 2022 | 12:12 PM

ગુજરાતભરમાં આ શો પ્રચલિત થતા ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા મલ્ટીમીડિયા શોનું અલગ-અલગ તબક્કાઓમાં નિદર્શન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતુ.

Jamnagar : વીરાંજલિ કાર્યક્રમ નિહાળવા જનમેદની ઉમટી, જામનગરવાસીઓ દેશ ભક્તિના રંગે રંગાયા
Viranjali event organized in Jamnagar

Follow us on

ગુજરાત(Gujarat)  સરકારના આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગરના (Jamnagar)આંગણે  દેશના વીર સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે યોજાયેલા વિરાંજલી કાર્યક્રમમાં (viranjali program)લોકોએ હેત વરસાવ્યું હતુ.  રાષ્ટ્ર ભક્તિ સભર આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહીને રાષ્ટ્રભક્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો.એક તબક્કે પ્રદર્શન ગ્રાઉન્ડ પણ ટૂંકુ પડયુ હતુ.મહત્વનું છે કે,કાર્યક્રમ શરુ થયાના એક કલાક પહેલાંથી જ લોકોનો ઘસારો જોવા મળ્યો હતો.

જામનગરવાસીઓએ રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમ નિહાળ્યો

જો કે વધતી ભીડને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી અને ડાન્સ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એક તરફ ચાલી રહેલા મેળાની રાઇડો પણ ખોલીને તાબડતોબ જગ્યા ખુલ્લી કરાવી હતી.જ્યાં સ્ક્રીનના માધ્યમથી લોકોએ રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમ નિહાળ્યો હતો.સમગ્ર વિરાંજલી કાર્યક્રમના લેખક અને દિગ્દર્શક સાઈરામ દવે (Sairam Dave) કે જેણે તિરંગા ધ્વજનું પાત્ર ભજવ્યું હતુ. શહીદ ભગતસિંહ સહિતના વોર સપૂતોની દેશ માટે કુરબાન થવાની લલકાર સમયે સમગ્ર પ્રદર્શન મેદાનમાંથી ઇન્કલાબ જિંદાબાદના પણ નારાઓ ગૂંજી ઉઠયા હતા.

શહીદોના બલીદાનનો કદર કરવાનો પ્રયાસ : સાંઇરામ દવે

ગુજરાત(Gujarat)  સરકારના  રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ  દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત  ગુજરાતના સૌથી મોટા મલ્ટી મીડિયા શૉ ‘વિરાંજલી’ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાંઇરામ દવેએ કાર્યક્રમ અંગે જણાવ્યુ કે, ગુજરાતના આ સૌથી મલ્ટીમીડિયા શો વીરાંજલિ કાર્યક્રમની છેલ્લી સાત મિનિટ આ શો નો આત્મા છે. આ શો સંપૂર્ણપણે દેશભકિતના રંગે રંગાયેલો છે. આ કોઇ પક્ષના પ્રચારનો કાર્યક્રમ નથી પરંતુ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર હજારો વીર શહીદોને નમન કરીને તેના દેશ પ્રેમની અને બલીદાનની કદર કરવાનો પ્રયાસ છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગુજરાતભરમાં આ શો પ્રચલિત થયો

ગુજરાતનું ઘરેણું એવા લેખક- કવિ- શાયર- હાસ્ય કલાકાર અને રંગમંચના અભિનેતા એવા સાંઈરામ દવે સાથે સમગ્ર ગુજરાતના કલાકારોની પસંદગી માટેના ઓડિશન બાદ 100થી વધુ કલાકારોની ટીમ સાથેનો 23 માર્ચ શહીદ દિવસ માટે એક ‘વિરાંજલી’ મલ્ટીમીડિયા શૉ તૈયાર કર્યો હતો. ગુજરાતભરમાં આ શો ખુબજ પ્રચલિત થયો કે ગુજરાત સરકાર દ્વારા આ મલ્ટીમીડિયા શોનું અલગ-અલગ તબક્કાઓમાં નિદર્શન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતુ.

Published On - 12:09 pm, Mon, 20 June 22

Next Article