Jamnagar: વિવિધ રંગો સાથે લાખોટા તળાવનુ યોજાયુ ફોટો પ્રદર્શન, યુવા ફોટોગ્રાફરે તેના કેમેરામાં ઝીલ્યા તળાવના વિવિધ રંગ

|

Sep 16, 2022 | 2:58 PM

Jamnagar:જામનગર શહેરની આન,બાન, શાન સમા લાખોટા તળાવની યુવા ફોટોગ્રાફરે ફોટોગ્રાફી કરી તેનુ ત્રણ દિવસનું પ્રદર્શન યોજ્યુ છે. જેમા ત્રણ વર્ષ દરમિયાન અલગ અલગ સમયે કેમેરામાં લીધેલા ફોટામાં તળાવના વિવિધ રંગ કેદ કર્યા છે.

Jamnagar: વિવિધ રંગો સાથે લાખોટા તળાવનુ યોજાયુ ફોટો પ્રદર્શન, યુવા ફોટોગ્રાફરે તેના કેમેરામાં ઝીલ્યા તળાવના વિવિધ રંગ
ફોટોગ્રાફી પ્રદર્શન

Follow us on

જામનગર (Jamnagar)ની ઓળખ લાખોટા તળાવના વિવિધ રંગોને દર્શાવતુ ખાસ ત્રણ દિવસનું ફોટો પ્રદર્શન (Photo Exhibition) યોજવામાં આવ્યુ છે. શહેરના 21 વર્ષિય યુવાન દિકુંજ જયેશ વાઘેલાને ફોટોગ્રાફીનો શોખ છે. હાલ M.A.ગુજરાતી વિષયનો અભ્યાસ કરતા યુવાને અભ્યાસની સાથે પોતાનો શોખ કેળવીને ફોટોગ્રાફી શીખી છે. છેલ્લા ત્રણ વર્ષમાં અલગ અલગ સમયે કેમેરામાં કંડારેલા ફોટાને પસંદ કરીને તેનુ પ્રદર્શન યોજ્યુ છે. લાખોટા તળાવ (Lakhota Lake) ની પાળે પુરાતત્વીય સંગ્રહાલયમાં 11,12 અને 13 સપ્ટેમ્બર સુધી સવારના 10થી 8 વાગ્યા સુધી લાખોટા તળાવનુ ફોટોગ્રાફીનું પ્રદર્શન રાખવામાં આવ્યુ છે. આ પ્રદર્શનને અતરંગી લાખોટા નામ આપવામાં આવ્યુ છે.

NDC પરિવારના સહયોગથી યોજાયુ ફોટોગ્રાફીનું પ્રદર્શન

NDC પરિવારના સંકલનથી, હાલાર વેલફેર ટ્રસ્ટના સપોર્ટથી અને પુરાતત્વ સંગ્રહાલયના સહયોગથી આ પ્રદર્શન યોજાયુ છે. જેને હાલાર વેલફેર ટ્રસ્ટના ચેરપર્સન એક્તાબા સોઢાના હસ્તે અતરંગી લાખોટાનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ પ્રદર્શનમાં મુકાયેલા દરેક ફોટાનો અલગ રંગ જોઈને એક્તાબાએ જણાવ્યુ કે લાખોટા તળાવને અનેકવાર જોયુ છે અને દરેક વખતે નવા જ રંગમાં જોવા મળે છે. એકસાથે લાખોટાના આટલા આટલા રંગ એકસાથે પહેલા ક્યારેય જોયા નથી.

તળાવની ફોટોગ્રાફીમાં પ્રકૃતિના રંગોને ઝીલી ફોટો સ્વરૂપે મઢ્યા

યુવા ફોટોગ્રાફર દિકુંજ જયેશ વાઘેલા શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માગે છે જો કે તેને ફોટોગ્રાફીનો પણ જબરો શોખ છે. જેમા ખાસ કરીને પ્રકૃતિના વિવિધ રંગોને નિહાળવા અને તેને કેમેરામાં કેદ કરી ફોટો સ્વરૂપે મઢવામાં તેને મહારત હાંસિલ કરી છે. આવી જ કંઈક અલગ જ અનોખી અને પ્રકૃતિ સાથે તળાવની સુંદરતાને દિકુંજે તેના કેમેરામાં કેદ કરી છે. ત્રણ વર્ષ દરમિયાન અલગ અલગ સમયે લીધેલા આ ફોટોની પ્રદર્શની રાખવામાં આવી છે. જેમા દિકુંજની નજરે લાખોટાને નહાળવામાં આવ્યુ છે. જેમા તળાવ, પક્ષી, સંધ્યા સમયે તળાવની સુંદરતા, અને કુદરતી સૌદર્ય અને તેના રંગોના વિષય પર ફોટાની પસંદગી કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દિકુંજ વાઘેલા દ્વારા છેલ્લા વર્ષમાં લાખોટા તળાવમાં કલાકો સુધી તપ કરીને એક એક ફોટા પાછળ ઘણી મહેનત કરી છે. જેમા પોતાની કલા રજૂ કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. વહેલી સવારે અને ઢળતી સાંજે બદલતા રંગોને લાખોટા તળાવ પરથી નિહાળી તેને કેમેરામાં કેદ કર્યા છે. આ ફોટોગ્રાફીને લોકો પણ નિહાળી શકે તે હેતુથી ત્રણ દિવસ માટેનુ ફોટોપ્રદર્શન રાખવામાં આવ્યુ છે.

Published On - 3:56 pm, Sun, 11 September 22

Next Article