Auction Today : જામનગરમાં કોમર્શિયલ પ્લોટની ઇ-હરાજી, જાણો તમામ વિગતો

ગુજરાતના જામનગરમાં કોમર્શિયલ પ્લોટની હરાજીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગર મોટી ખાવડી રેવન્યુ સર્વે નંબર 177ની કોમર્શિયલ જમીનની હરાજી કરવામાં આવશે. આ જમીનનું કુલ ક્ષેત્રફળ 1175. 85 સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત 1,88,00,000 છે જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 18,80,000 રાખવામાં આવી છે. જ્યારે બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ 1,00,000 રાખવામાં આવી છે.

Auction Today : જામનગરમાં કોમર્શિયલ પ્લોટની ઇ-હરાજી, જાણો તમામ વિગતો
| Edited By: | Updated on: Feb 18, 2023 | 5:25 PM

ગુજરાતના જામનગરમાં કોમર્શિયલ પ્લોટની હરાજીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગર મોટી ખાવડી રેવન્યુ સર્વે નંબર 177ની કોમર્શિયલ જમીનની હરાજી કરવામાં આવશે. આ જમીનનું કુલ ક્ષેત્રફળ 1175. 85 સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત 1,88,00,000 છે જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 18,80,000 રાખવામાં આવી છે. જ્યારે બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ 1,00,000 રાખવામાં આવી છે. તેની નિરીક્ષણની તારીખ 14.03.2023 સવારે 11. 00 થી 2. 00 સુધી રાખવામાં આવી છે. જ્યારે તેની ઓક્શન તારીખ 23.03.2023 રાખવામાં આવી છે.

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના  સિક્યોર લેણદાર નીચે છે.

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે  રૂપિયા સત્તર કરોડ તોત્તેર લાખ પચાસ હજાર સાતસો સિત્યોતેર અને પૈસા  થશે. આ રકમની વસૂલાત માટે તા. 20.04. 2018  સરફેસી એક્ટની કલમ-36  હેઠળ અમોન્ડ નોટીસ  ઉલ્લેખીય મુજબ વ્યાજ, ખર્ચ અને આકસ્મિક ખર્ચ ગેરે અને સિક્યોર્ડ લેણદારની વસૂલાત બાદ કરતાં બાકીની રકમ જે મેસર્સ કોન્સટન્ટ એન્જીનીયરીંગ પ્રો. લિ. અને તેના ડાયરેક્ટર, ગીરોદાર અને જમીનદાર :-  વીસ થકકોલકરન,  લીટી વર્ગીસ થકકોલકરન,  સુની ડેવોસ થકકોલકરન, અને  વર્ગીસ  એ. થકકોલકરને  વિવિધ ધિરાણ સુવિધાઓ માટે ભારતીય સ્ટેટ બેંક દ્વારા સમયાંતરે મંજૂરી આપવામાં આવી હતી.

 

Jamnagar E Auction Detail

કરભારણ : અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી મુજબ મિલકત પર કોઇ બોજો નથી. ઇચ્છુક બિલ્ડરો બીડ જમા કરાવતા પહેલા પોતાની સ્વતંત્ર રીતે કરભારણ, હરાજીમાં મુકેલ મિલકતના ટાઇટલ, મિલકતને અસર કરતાં દાવાઓ/ અધિકારો /લેણાં અંગે પૂછપરછ કરાવી શકે છે. ઇ હરાજી બેંક જાહેર ખબર બેંકની કોઇ પ્રતિબદ્ધતા દર્શાવતી નથી કે કરશે નહિ. મિલકતનું તેના તમામ વર્તમાન અને ભાવિ કરભારણ કે જે બેંક માટે અજાણ્યા હોય તે તમામ સાથે વેચાણ થશે. અધિકૃત અધિકારી/સિકયોર્ડ લેણદારો થર્ડ પાર્ટી દાવાઓ/ લેણાં અંગે કોઇ જવાબદાર ગણાશે નહિ.

વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિકયોર્ડ લેણદારની વેબસાઇટ www.sbi.co.in , https//www.mstcecommerce.com/auctionhome/ibapi.in પર આપેલી લિન્ક જુઓ અથવા સંપર્ક કરો.

આ સૂચનાને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2000 ના નિયમ 8(6) હેઠળ કરજદાર, જામીનદાર/ ગીરોદારે 30 દિવસની નોટિસ તરીકે પણ ગણવામાં આવે છે.

આ પણ  વાંચો : Auction Today : સુરતમાં  ફેકટરી જમીન બિલ્ડિંગ સાથે ઇ -હરાજી, જાણો તમામ વિગતો

Published On - 5:18 pm, Sat, 18 February 23