Gujarat Budget 2021-22 : ગુજરાતમાં નાણાં મંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં વર્ષમાં 2021- 22 નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે રાજ્યના વિવિધ ભાગોમાં પાણીની વર્તાતી અછત અંગે સ્પષ્ટતા કરી હતી. તેમજ જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં પાણીની અછતની વાતો ગુજરાતમાં ઇતિહાસ બની જશે. તેમણે કહ્યું હતું કે નર્મદા મૈયાના લીધે પાણીની અછત રાજ્યમાં વર્તાશે નહિ અને રાજ્યમાં વરસાદ ઓછો વધતો થાય તો પણ રાજ્યના નાગરિકોને પીવાના પાણીની વંચિત નહિ રહેવું પડે. તેની માટે અમારી સરકાર પાણી પૂરવઠા ક્ષેત્રે કરી રહી છે.