ગુજરાતમાં હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરો સોમવારે કોરોના વોરિયર્સના સન્માનપત્ર સરકારને પરત આપશે

|

Aug 08, 2021 | 8:47 PM

સરકારે કોરોના સમયે આ ડોકટરોને આપેલા કોરોના વોરિયર્સ તરીકેના સન્માન પત્રને સરકારને પરત આપવાનો ડોકટરોએ નિર્ણય લીધો છે. જેમાં સોમવારે તમામ કોરોના વોરિયર્સ સન્માનપત્ર આરોગ્ય કમિશ્નરને પરત કરશે.

ગુજરાતમાં હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરો સોમવારે કોરોના વોરિયર્સના સન્માનપત્ર સરકારને પરત આપશે
Gujarat Resident doctors to return Corona Warriors honorarium to government on Monday

Follow us on

ગુજરાત(Gujarat)માં સતત ચાલી રહેલી ડોકટરો(Doctor)ની હડતાળ ધીરે ધીરે આક્રમક બની રહી છે. જેમાં હવે સરકારે કોરોના સમયે આ ડોકટરોને આપેલા કોરોના વોરિયર્સ(Corona Worriers)તરીકેના સન્માન પત્રને સરકારને પરત આપવાનો ડોકટરોએ નિર્ણય લીધો છે. જેમાં સોમવારે તમામ કોરોના વોરિયર્સ સન્માનપત્ર આરોગ્ય કમિશ્નરને પરત કરશે.

રાજ્યમાં તેમની માંગણીઓને લઇને ચાલી રહેલી રેસીડેન્ટ તબીબોની હડતાળનો રવિવારે પાંચમો દિવસ હતો. જેમાં ડોકટરોએ કહ્યું કેપાણી, વીજળી સહિત ની સુવિધાઓ બંધ કરવાની સરકારની ધમકીથી કોઇ ફરક નહી પડે. તેમજ અમે અમારા માંગણીઓ માટે ફુટપાથ પર નહાયા વગર હડતાળ કરીશું.

જો કે આ દરમ્યાન હડતાળ ઉપર રહેલા તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. તેમજ આરોગ્ય અઘિકારીઓના મનસ્વી નિર્ણયનો વિરોધ કર્યો હતો. ડોકટરોએ કહ્યું કે અમે સરકારની તાનાશાહી ઉપર તબીબો પણ અડગ રહીશું. જો કે ડોકટરોના વધતાં વિરોધ વચ્ચે બી.જે.મેડિકલ કોલેજમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. જ્યારે આ તબીબોએ પોલીસની હાજરીમાં દેશભક્તિના ગીતો ગાઈને હડતાળને મક્કમતાથી આગળ વધારવા સંકલ્પ કર્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ મુદ્દે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તબીબોની માંગ અયોગ્ય છે. તેમજ હડતાળ કરીને ડોકટરો દર્દીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં ડોકટરોએ કોવિડ ડ્યુટીના કામને બોન્ડમા બમણી રીતે બાદબાકી આપવા માંગ કરી રહ્યાં છે.

જો કે ડોકટરોની હડતાળના પગલે અમદાવાદ સિવિલમાં 60 ટકા ઓપરેશન હાલ મોકૂફ રાખવાની ફરજ જેમાં રોજના 250 થી 350 જેટલા પ્લાન ઓપરેશન થતા હોય છે. તેમજ પ્લાન્ડ ઓપરેશનમાં રેસિડેન્ટ ડોકટરોની ઉપસ્થિતિ જરૂરી હોય છે અને એ મુજબ જ આયોજન કરાતું હોય છે. પરતું અત્યારે માત્ર ઇમરજન્સી ઓપરેશન જ કરવામાં આવે છે.

આ પણ વાંચો :  Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત પ્રકરણ મહારાષ્ટ્રને બદનામ કરવાનું ષડયંત્ર હતું, NCP પ્રવક્તા નવાબ મલિકનું નિવેદન

આ પણ વાંચો : Health Tips : વ્યંધત્વ પાછળ કયા કારણો હોય છે જવાબદાર ? શું છે ઈલાજ ?

Next Article