પોરબંદરના કુંજવેલ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા સાત લોકોને બચાવાયા છે. મોડી રાત્રે એક પરિવારના સાત લોકો ગાડીમાં પોરબંદરથી જામનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મજીવાણા પાસે વર્તુ-2 ડેમના પાણી રોડ પર આવી જતા તેમની ગાડી ફસાઈ ગઈ હતી. ફસાયેલા લોકોને તો હતુ કે હવે તેમને પૂરની આફતમાંથી કોઈ નહીં બચાવી શકે. પરંતુ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, NDRF, વહીવટી તંત્ર અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ આખરે સાતેય લોકોને બચાવી લેવાયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO