વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીની જાહેરાતથી થોડા દિવસ પહેલા એટલે કે આજે પોતાના કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. મંત્રીપરિષદની બેઠક દિલ્હીમાં ચાણક્યપુરીના સુષ્મા સ્વરાજ ભવનમાં થશે. ખેડૂત આંદોલનની આગળની રણનીતિને લઈ મોટી જાહેરાત થઈ શકે છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાનને લઈ લગભગ 20 દિવસથી ચાલી રહેલા સસ્પેન્સ પરથી આજે પડદો હટી જશે. આજે કોણ વડાપ્રધાન બનશે તેની પર મહોર વાગશે. દેશ-દુનિયાના મહત્વના સમાચાર વાંચો અહીં
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024ની 10મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 25 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ WPL 2024ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. જેમાંથી તેણે 3માં જીત મેળવી છે. તેમાં 6 અંક છે.
દિલ્હીની કેજરીવાલ સરકાર આવતીકાલ સોમવારે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટની થીમ રામરાજ્ય હશે. સમગ્ર બજેટમાં રામરાજ્યનો ખ્યાલ રહેશે. કેજરીવાલ સરકારનું આ 10મું બજેટ હશે. ચૂંટણી વર્ષમાં તમામ વર્ગના લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી સંભાવના છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હજ ગાઈડ 2024 બહાર પાડી અને હજ સુવિધા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હાજીઓ માટે સુવિધાઓ એ લઘુમતી બાબતોના મંત્રાલયની એકમાત્ર જવાબદારી નથી. હવે મોદી સરકારે હાજીઓની સુવિધાઓ સુધારવા માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાધ્યું છે. ગયા વર્ષે વ્યક્તિગત મહિલા હાજીઓની સંખ્યા 4300 હતી અને આ વર્ષે તેમની સંખ્યા 5160ને વટાવી ગઈ છે.
સ્ટેટ મોનિટરીગ સેલે ફરી એકવાર મહેસાણામાં દરોડા પાડીને વિદેશી દારુ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું છે. એસએમસીએ પાડેલા દરોડામાં પકડી પાડેલા ટેન્કરમાં રૂપિયા 37.18 લાખનો વિદેશી દારૂ ભરેલો હતો.
કુલ રૂ. 62,31,300નો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીની અટકાયત કરી છે. જ્યારે પાંચ આરોપી ફરાર થઈ ગયા હોવાનું જણાવાયું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાવલું પોલીસ સ્ટેશનની હદમાં, એન.કે.પ્રોટીન્સની તિરુપતિ કપાસિયા તેલની કંપનીના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપ્યું હતું.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે તેમની આખી કેબિનેટ સોમવારે અયોધ્યા ધામ જશે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામે 22 જાન્યુઆરીએ ઘરમાં પ્રવેશ કર્યો, તે આપણા બધા માટે સૌભાગ્યની વાત છે. ફેબ્રુઆરી મહિનામાં ભારે ભીડ અને વ્યસ્તતાને કારણે અમે માર્ચની તારીખ નક્કી કરી હતી, તેથી આવતીકાલ સોમવારે કેબિનેટની બેઠક બાદ અમે અહીંથી અયોધ્યા દર્શને નીકળીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લગભગ 8 કલાકથી મંત્રી પરિષદની બેઠક ચાલી હતી. તમામ સચિવો બેઠક છોડીને ચાલ્યા ગયા છે તેમજ તમામ મંત્રીઓ અને પીએમ હાજર રહ્યા હતા. બેઠકમાં આગેવાનોને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લગભગ 8 કલાકથી મંત્રી પરિષદની બેઠક ચાલી રહી છે. તમામ સચિવો બેઠક છોડીને ચાલ્યા ગયા છે પરંતુ તમામ મંત્રીઓ અને પીએમ હાજર છે. બેઠકમાં આગેવાનોને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ ગંગોપાધ્યાયે રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે રવિવારે મીડિયાને જણાવ્યું કે તેઓ મંગળવારે જજ પદ પરથી રાજીનામું આપી દેશે. જસ્ટિસ ગંગોપાધ્યાયે રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ભરતી ભ્રષ્ટાચારના મામલામાં એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. તેમણે ઘણા મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ પણ આપ્યો હતો. આ વખતે તેઓ જજ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. તેઓ ઓગસ્ટમાં નિવૃત્ત થવાના હતા, પરંતુ તે પહેલા આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ પોતાનું રાજીનામું દેશના રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશને પણ મોકલશે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે શું તમને દેશની પ્રગતિ દેખાતી નથી? તમે 12માં નંબર પર ક્ષીણ થતી અર્થવ્યવસ્થા છોડી દીધી હતી. ભારતની જીડીપી આજે તમે જ્યાં છોડી હતી તેનાથી ઘણી આગળ વધી ગઈ છે. તમે આંકડા બહાર કાઢો અને જુઓ.
ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. આ પછી હવે ભાજપ સીટ બદલવાનું વિચારી રહી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજકોટમાં માવઠાથી થયેલ પાક નુકસાનને લઈને કિસાન કોંગેસ નેતાએ નિવેદન આપ્યુ છે. પાલ આંબલિયાએ નિવેદન આપ્યુ છે કે કમોસમી વરસાદના પગલે જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. તેમજ “પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવામાં આવે”.
“સરકાર 48 કલાકમાં સર્વે કરાવે તો સાચું નુકસાન સામે આવે” પાલ આંબલિયા જણાવ્યુ કે “ખેડૂતોને નિષ્ફળ પાક માટે વળતર મળે તેવી કોઈ યોજના અમલમાં નહીં” આ ઉપરાંત કોંગ્રેસમાં “આ વર્ષે માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર મળ્યું નથી” તેમજ સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે.
ખેડૂતો 10 માર્ચે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી રેલ રોકો આંદોલન કરશે.
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જાહેરાત કરી છે કે ખેડૂતો 6 માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે. આ વખતે તે બસ-ટ્રેન વગેરે દ્વારા દિલ્હી જશે. આ ઉપરાંત ભારતભરમાં 10 માર્ચે બપોરે 12 થી 4 વાગ્યા સુધી રેલ રોકો આંદોલન કરવામાં આવશે.
પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે આખરે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શેહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે જાહેરાત કરી હતી કે PML-Nના પ્રમુખ શહેબાઝ શરીફ 201 મત મેળવીને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.
ઠંડીના વિદાયના અને ગરમીના દિવસોની શરુઆતે જ સાબરકાંઠામાં જાણે કે બરફ વર્ષા થઈ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે. વાત સાબરકાંઠાના ઈડર અને વડાલી વિસ્તારની છે. આ વિસ્તારમાં કરા વરસ્યા હતા. કરા વરસવાને લઈ ઘરના છત પર પણ સફેદ કરાની ચાદર પથરાવા લાગી હતી, તો સાથે જ ધોધમાર વરસાદ વરસવાને લઈ કરા છત પરથી સરકતા હોવાનો નજારો જોવા મળ્યો હતો.
દેશમાં લોકસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી રહી છે અને તારીખો જાહેર થાય તે પહેલા જ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રમાં સતત ત્રીજી વખત સત્તા કબજે કરવાનો પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ શનિવારે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. ભાજપે પશ્ચિમ બંગાળ સહિત 15 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ યાદીમાં ઘણા નામો આશ્ચર્યજનક હતા. ભાજપે ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર તરીકે જાણીતા પવન સિંહને આસનસોલથી ટિકિટ આપી છે.
પંજાબની જલંધર પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો વેપાર કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. 5 કિલો અફીણ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય કુરિયર સેવા દ્વારા ચાર જુદા જુદા દેશોમાં સપ્લાય કરવામાં આવી હતી.
છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. વર્દીધારી પુરુષ માઓવાદીનો મૃતદેહ અને એક એકે-47 મળી આવી હતી. આ એન્કાઉન્ટરમાં બસ્તર ફાઇટર્સ કોન્સ્ટેબલ રમેશ કુરેઠી શહીદ થયા હતા.
આગામી લોકસભા ચૂંટણી માટે મથુરા મતવિસ્તારમાંથી તેમની ઉમેદવારી અંગે ભાજપના નેતા હેમા માલિનીએ કહ્યું કે હું અહીં ઘણું કરવા માંગતી હતી. મેં પહેલા પાંચ વર્ષમાં ઘણી વસ્તુઓ કરી છે અને મારા બીજા કાર્યકાળ દરમિયાન પણ વધુ સારું કર્યું છે. આ ત્રીજી વખત છે અને મારે હજુ એક મોટું કામ કરવાનું બાકી છે. હું પીએમ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનું છું.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કરા સાથે માવઠાને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શનિવારની મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠું થતા મોડાસા, ભિલોડા, માલપુર મેઘરજ સહિતના તાલુકાઓમાં ક્યાંક ખેતીને તો ક્યાંક લગ્ન પ્રસંગમાં માવઠાએ વિઘ્ન બનીને તમામ આયોજનો પર પાણી ફેરવ્યું હતું. મોડાસા તાલુકામાં માવઠાની વધારે અસર જોવા મળી હતી.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ પાકમાં નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે. ઇડર, વડાલી અને ભિલોડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા વરસ્યા હતા. ઇડરના ફલાસણ અને વડાલીના ચામુ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ તૂટી પડવાને લઈ ખેતી પાકમાં નુક્સાન સર્જાયુ હતુ. ખેતરોમાં સફેદ કરાની ચાદર પથરાઇ ગઇ હતી અને ઘઉં સહિતનો તૈયાર પાકનો સોથ વળી ગયો હતો.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કરતાં ભારતમાં વધુ બેરોજગારી છે. રાહુલ સતત બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશનું કહેવું છે કે આજે ભારત જોડો ન્યાય યાત્રાનો 50મો દિવસ છે, તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે રાહુલ ગાંધીએ વિપક્ષની રેલીમાં ભાગ લેવા માટે પટના જવું છે. આજે સવારે તેઓ અગ્નવીર યોજના અંગે ચર્ચા કરશે. બપોરે ભારત જોડો ન્યાય યાત્રા નહીં નીકળે. આવતીકાલે, અમે શિવપુરીથી ફરી યાત્રા શરૂ કરીશું.
ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ચૂંટણી કાર્ડની કોપી જેવા ડોક્યુમેન્ટ પર આધારકાર્ડ માટે એપ્લાય કરાતા સમગ્ર મામલો મામલતદારના ધ્યાને આવ્યો હતો. જેને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તપાસ કરી, અને સોલા પોલીસે કન્સલ્ટન્સી ધરાવતા યુવક અને બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે.
રશિયન ડ્રોન હુમલામાં યુક્રેનમાં સાત લોકોના મોત થયા છે. આ માહિતી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આપી છે. તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેનના ઓડેસામાં ડ્રોન હુમલો કર્યો, જેમાં સાત લોકો માર્યા ગયાના અહેવાલ છે.
પાકિસ્તાનના નવા વડાપ્રધાનને લઈને લગભગ 20 દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવશે. પાડોશી દેશના આગામી વડાપ્રધાન કોણ હશે? જેની પર આજે મહોર લગાવવામાં આવશે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 3 માર્ચે પીએમની ચૂંટણી થવાની છે.
વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીની જાહેરાતથી થોડા દિવસ પહેલા એટલે કે આજે પોતાના કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. મંત્રીપરિષદની બેઠક દિલ્હીમાં ચાણક્યપુરીના સુષ્મા સ્વરાજ ભવનમાં થશે.
Published On - 7:41 am, Sun, 3 March 24