
સુરત શહેરમાં SIR ની કામગીરીમાં જીવતા મતદારને મરેલા જણાવીને તેમના નામ મતદાર યાદીમાંથી રદબાતલ ઠરાવવા ભાજપના કોર્પોરેટરે ફોર્મ નંબર 7 ભર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરાઈ છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
મતદાર જીવીત અને હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરાયા. ભાજપના વોર્ડ નંબર 25 ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરાયા છે. માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31 હજાર જેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે. જેમાં વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે. મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કરવા ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ભર્યા ફોર્મ નંબર 7. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપ. સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી. મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવા માંગ. મોટી સંખ્યામાં મતદારોએ દર્શાવ્યો વિરોધ.
બનાસકાંઠામાં આજે ઉત્તર ગુજરાતના રબારી સમાજનું યોજાશે મહાસંમેલન. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં ઘડાશે બંધારણ. લોકો ડીસાના સમશેરપુરા ખાતે મહા સંમેલનમાં ઉમટી રહ્યા છે. રબારી સમાજમાં 11 મુદ્દાઓનું ઘડાશે બંધારણ. રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં બંધારણ ઘડાશે. નવા બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, સગાઈ પ્રસંગ, મામેરું, આણું, છૂટા છેડા, શિક્ષણ , વ્યવસન મુક્તિ તેમજ અન્ય મુદ્દાઓને લઈને રચાશે બંધારણ
રાજકોટમાં તરછોડાયેલી નવજાત બાળકી મળી આવી. હાડ થીજવતી ઠંડીમાં બાવળની જાડી વચ્ચે માસુમ ફૂલ જેવી બાળકી તરછોડી દેવાઈ હતી. સાણથલી ગામના વાસાવડ રોડ નજીકથી બાળકી મળી આવી હતી. ગઈકાલે નવજાત બાળકી વાવરુ જગ્યાએથી મળી આવી હતી. માસુમ બાળકીને પગમાં કોઈ જીવજંતુ પણ કરડ્યું હતું. બાળકી રડતી હોવાનો અવાજ આવતા સ્થાનિક લોકોએ જોયું તો બાળકીને કોઈ મૂકીને જતું રહ્યું હતું. 108 એમ્બ્યુલન્સની મદદથી રાજકોટમાં બાળકીને રાજકોટ ખસેડવામાં આવી. રાજકોટની જનાના હોસ્પિટલમાં બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે, હિમાલયની પર્વતમાળામાં વરસી રહેલા બરફ અને ઉત્તર ઉત્તર પૂર્વ દિશા તરફથી ફુંકાઈ રહેલા ઠંડા હિમ પવનને કારણે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વર્તાયો છે. ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેર કરેલ ઠંડીના આંકડા અનુસાર, આજે 25મી જાન્યુઆરીના રોજ, ગુજરાતમાં સૌથી વધુ ઠંડી સૌરાષ્ટ્રના પોરબંદરમાં નોંધાઈ છે. પોરબંદરમાં ઠંડીનો પારો ગગડીને 9 ડિગ્રીએ પહોચ્યો છે જ્યારે રાજકોટમાં ઠંડીનો પારો 9.2 ડિગ્રીએ અટક્યો છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગઈકાલ શનિવારની સરખામણીએ રવિવારે ઉચકાઈને 14 ડિગ્રીએ પહોચ્યો છે.
જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સાત વર્ષના બાળક પર એક સાથે પાંચ શ્વાને હુમલો કરીને બાળકને શરીર પર ગંભીર ઈજાઓ પહોચાડી છે. બીલખા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. બાળકને સાત જેટલા ટાંકા આવ્યા હોવાનુ સ્થાનિકો એ જણાવ્યું. પહેલા પણ એક નાની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બીલખાના મસ્જિદ વિસ્તારનો બનાવ. અનેક રજુઆત છતા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલા લેવામા આવતા નથી.
બનાસકાંઠાના ઈકબાલગઢ હાઈવે પર ગઈકાલ શનિવારે રાત્રે સર્જાયેલા ટ્ર્ક અને કાર વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોચી છે. પાલનપુરથી કાર રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત. ટ્રક ડિવાઇડર કુદી અને ઇનોવા સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને કારણે સર્જાયો અકસ્માત.
તમામ મૃતકો અને ઘાયલ રાજસ્થાનના રહીશ હોવાનું સામે આવ્યું છે. પાલનપુર હોસ્પિટલમાં તબિયત બતાવીને અને રાજસ્થાન પરત ફરતા સર્જાયો અકસ્માત.
છ મૃતકો ને અમીરગઢ રેફરલ અને એક મૃતક પાલનપુર સિવિલમાં પીએમ અર્થે મોકલાયા છે. જ્યારે ત્રણ ઘાયલ પાલનપુર સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જેમાંથી બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે એ ઘટના સ્થળે જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું. અકસ્માતને પગલે જામ થયેલા ટ્રાફિકનું પોલીસે નિયંત્રણ કર્યું અને ટ્રાફિક પૂર્વવત કરાયો હતો. અમીરગઢ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે “મન કી બાત” કાર્યક્રમમાં ભારત અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ દરેક મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત થતા રેડિયો કાર્યક્રમ મન કી બાતનો આ 130મો એપિસોડ હશે.
જામનગરમાં મોડી રાત્રે એક ખાનગી બસમાં અચાનક લાગી આગ હતી. શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ ઉદ્યોગનગર વિસ્તારમાં પાર્ક થયેલ બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જાહેર માર્ગ પર બસમાં આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસમાંથી ધુમાડા અને આગની લપેટો દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મનપાની અગ્નિશામક દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ હતું. ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
અમદાવાદના ધોળકા તાલુકાના ધોળી ગામ પાસે આવેલી પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. કંપનીના બીજા માળે આગ લાગતાં, ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ ઘટનાની જાણ થતાં જ ધોળકા ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેના પગલે ધોળકા નગરપાલિકા તેમજ ચિરિપાલ કંપનીની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાઈને ગોડાઉન સુધી પહોચી હતી, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી.
આજે 25 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:14 am, Sun, 25 January 26