
આજે 19 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હાલમાં પોતાની ફિલ્મ જેલરમાં ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ દુનિયાભરમાં શાનદાર બિઝનેસ કરી રહી છે. તાજેતરમાં જ મેગાસ્ટાર રજનીકાંત ફિલ્મની સ્ક્રીનિંગના સંદર્ભમાં લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ મળ્યા હતા.
ભાવનગરમાં અલકા ટોકીઝ પાસે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. મારામારીનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતી કાબુમાં લીધી
સુરત માંડવીના હરિયાલ GIDCની ચોક્સી ટેક્ષોરાઇઝર ખાતે એક મિલમાં લાગી ભીષણ આગ. લાંબા સમય બાદ હજુ પણ આગ પર કાબુ મેળવવા કામગીરી શરૂ. ત્રણ વ્યક્તિ સામાન્ય દાઝતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા
ભરૂચના અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. રસ્તા પર જઈ રહેલા બાઈકચાલકને રખડતા પશુએ અડફેટે લીધો. ઢોરની અડફેટે બાઈકચાલકને ઈજા પહોંચી. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે.
સુરતમાં લોકોએ ભેગા મળી પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હોવાની ઘટના બની છે. પોલીસકર્મીએ ડંડો કાઢતા મામલો બિચકાયો હતો. સાયબર સેલમાં ફરજ બજવતા પોલીસ કર્મીને માર પડ્યો હોવાની વાત સેમ આવી છે. વાત એવી હતી કે પોલીસ કર્મીના ભાઈનું અકસ્માત થયુ હતુ. અકસ્માત બાદ સ્થાનિકો સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. અકસ્માત સર્જાનારે આ મામલે પોતાના પોલીસકર્મી ભાઈને બોલાવ્યો હતો. તુ નામનો પોલીસકર્મી ઈચ્છાપોર ગામમાં દબંગ બન્યો હતો જે બાદ આ ઘટના બની છે. પોલીસ કર્મીએ સ્થળ પર દંડો કાઢતા સમગ્ર મામલો બીચક્યો હતો.ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડાયો. જોકે સોશિયલ મીડિયામાં ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
અમદાવાદમાં આંગણવાડીના બાળકો તંદુરસ્ત થાય તે માટે સરકાર દ્રારા પૌષ્ટીક નાસ્તો આપવામાં આવે છે પરંતુ કેટલીક આંગણવાડીમાં સડેલો નાસ્તો પીરસાતો હોવાનું સામે આવ્યું છે. વાત છે અમદાવાદની જયાં કુબેરનગરની આંગણવાડીમાં બાળકોને સડેલા અને કાચા ચણા નાસ્તામાં આપવામાં આવ્યા હતા.જો કે કેટલાક ભૂલકાઓ સડેલા ચણા ખાઈ પણ ગયા હતા.
આસામમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે પશ્ચિમ કાર્બી આંગલોંગમાં લગભગ 8.50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.4 માપવામાં આવી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે સાંજે ભારતીય સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. રાજધાની લેહ નજીક ક્યારી ગામમાં સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં સેનાના આઠ જવાનોના શહીદ થયા છે.સેનાએ TV9 નેટવર્ક સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે લેહમાં થયેલા અકસ્માતમાં 9 સૈનિકો શહીદ થયા છે
છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં આંતક મચાવનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી લીધી છે. અસામાજિક તત્વોનો આતંક એટલો હતો કે લોકો પોલીસને ફરિયાદ કરતા પણ ડરતા હતાં. સમગ્ર ઘટનાઓ મીડિયામાં સમક્ષ આવતા પોલીસ પણ દોડતી થઈ હતી અને બે અલગ અલગ ફરિયાદો નોંધી હતી. પોલીસે ફરિયાદને આધારે બે આરોપીની ધરપકડ કરી છે.
તત્કાલીન ક્લેક્ટરના વાયરલ વીડિયોની તપાસ ATSને સોંપાઈ છે. તત્કાલીન ADM કેતકી વ્યાસ દ્વારા કાવતરૂ રચાયુ હતુ. નાયબ મામલતદાર જયેશ પટેલે સાથ આપ્યો હતો. આર્થિક લાભ લેવા માટે હનીટ્રેપ ગોઠવાઈ હતી.
આણંદમાં કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરો લગાવનારા અધિકારીઓ અને તેના મળતિયા પોલીસના સકંજામાં આવ્યા છે. ગુજરાત ATS ફરિયાદી બન્યું અને સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.
જામનગરના મેયર બીના કોઠારીની સામે ક્રિકેટર પત્નિ અને સ્થાનિક ધારાસભ્ય રિવાબા જાડેજાએ ઔકાત શબ્દ પ્રયોગ કરવાને લઈ હવે વિવાદ વકર્યો છે. ઔકાત શબ્દને લઈ રાજનીતિ પણ શરુ થઈ છે. આ દરમિયાન મેયર બીના કોઠારીના પરિવારે હવે ઔકાત શબ્દને લઈ જામનગર શહેર પ્રમુખને રજૂઆત કરી છે. પરિવારના મોભી જનસંઘ વખતથી સક્રિય હોવાને લઈને પણ રજૂઆત કરી હતી. મેયરના પરિવારે આ મામલે રજૂઆત કરીને કયા પ્રકારની ઔકાત ને લઈ આ શબ્દ વાપર્યો હતો એ સવાલ કરવાાં આવ્યા છે.
બે દિવસ અગાઉ રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીના કોઠારી વચ્ચે ચકમક ઝર્યાનુ સામે આવ્યુ હતુ. જાહેરમાં વિવાદ સર્જાયો હતો અને મામલો થાળે પડ્યો હોય એમ લાગી રહ્યુ હતુ. પરંતુ જે રીતે ઔકાત શબ્દને લઈ હવે મામલો ગરમાયો છે, આમ જોતા હવે જામનગર ભાજપમાં મામલો હજુ પણ ગરમાયેલો હોય એમ લાગી રહ્યુ છે. હવે ખુદ મેયરે પણ રિવાબાને સવાલ કર્યા છે કે, કયા પ્રકારની ઔકાતની વાત કરી હતી એ સ્પષ્ટ કરવામાં આવે. તેમણે વ્યક્તિગત, સામાજીક, આર્થિક, પરિવારીક કે અન્ય કઈ પ્રકારની ઔકાતને લઈ આ શબ્દ પ્રયોગ કર્યો હતો એમ Tv9 સાથેની વાતચીતમાં સવાલ કર્યા હતા.
પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી થયેલી તબાહી અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. બેઠકમાં રાજ્યની સ્થિતિ જાણવા ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલી બચાવ કામગીરી અને ત્યાંના લોકોને રાહત આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પોતે રવિવારે હિમાચલની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. નડ્ડા શિમલા અને રાજ્યના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન નુકસાનની સમીક્ષા પણ કરશે. કુદરતી આફતના કારણે શુક્રવારે લગભગ 65 મકાનો ધરાશાયી થયા હતા અને 270થી વધુ મકાનોને નુકસાન થયું હતું.
જોધપુરના બિલારામાં રામદેવરા જઈ રહેલા લોકોને ખાનગી બસે કચડી નાખ્યા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ પણ થયા છે. મુસાફરોનો જથ્થો રામદેવરાની મુલાકાતે જતો હતો.
Vadodra : વડોદરાના ભાજપ (BJP) કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં (Sachin Thakkar murder case) ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં 1700 પેજની ચાર્જશીટ (charge sheet) મુકી છે. આરોપીઓ સામે ત્રણ ચાર્જશીટમાં 80 સાક્ષી અને 12 આઈ વિટનેસ દર્શાવ્યા છે. 164 મુજબનું એક નિવેદન, 14 પંચનામા, FSL રિપોર્ટ અને CCTV ફૂટેજ પણ સામેલ કરવામાં આવ્યા છે. મારામારીનો વીડિયો ઉતારનારને પણ સાક્ષી બનાવ્યા છે.
Ahmedabad: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા અકસ્માતમાં એકનું મોત થયુ છે. જ્યારે રખિયાલમાં BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત થયુ છે. ઓઢવ BRTS પાસે પણ બે બાઇક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્મતમાં એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh Landslide) ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં 74 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને વરસાદના કારણે 7700 કરોડથી વધુનું નુકસાન થયું છે. શિમલા પર સતત ભૂસ્ખલનનો ખતરો છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે. લેન્ડસ્લાઈડ વિસ્તારોમાં એનડીઆરફીની ટીમ સતત તૈયાર છે. તે રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે જો જૂનથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં કુદરતી આફતોના કારણે 330 થી વધુ લોકોના મોત થયા છે.
Ahmedabad : અમદાવાદ શહેરમાં 11 નવી TPને મંજૂર કરવામાં આવી છે. જેમાં સાબરમતી, ચાંદલોડિયા, સરખેજ, કઠવાડા અને નરોડાનો સમાવેશ થયો છે. આ ઉપરાંત ગેરતપુર, વટવા, શાહવાડી, બાકરોલ-બાદરાબાદમાં પણ નવી TPને મંજૂરી મળી છે. AMCના બોર્ડમાં મંજૂરી બાદ ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીની દરખાસ્તને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે.
Farmer Suicide : ગાંધીનગરના દહેગામમાં એક ખેડૂતે આર્થિક ભીંસમાં પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે. મૃતક પાસે એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં 5 જમીન દલાલના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ, તો દહેગામના શિવમ બંગલોઝ ખાતે રહેતા જશવંત પટેલ નામના 50 વર્ષીય ખેડૂતે ઘરમાં જ દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લીધો. જો કે ઘટના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના બારામુલામાંથી લશ્કરના 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે દિલ્હીના લોકોને ભીષણ ગરમીથી રાહત મળી છે.
જમ્મુ-કાશ્મીરની અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે બિહારના રોહતાસ જિલ્લાના તુમ્બા ગામના તીર્થયાત્રી વિજય કુમાર શાહ કાલીમાતા પાસે લપસીને 300 ફૂટ નીચે પડી ગયા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે તીર્થયાત્રીને માઉન્ટેન રેસ્ક્યુ ટીમ અને આર્મી દ્વારા સંયુક્ત રીતે બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તેનું મૃત્યુ થયું હતું.
Published On - 6:22 am, Sat, 19 August 23