સુરેન્દ્રનગરના ચૂડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમા ગઈકાલ શુક્રવારે ફ્રુડ પોઇઝનીંગનો કેસ બનવા પામ્યો હતો. 147 વિદ્યાર્થીનીને ફ્રુડ પોઇઝનીંગની અસર થવા પામી હતી. આ બાબતે, ચુડા પોલીસ મથકમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સંચાલકો વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાળકીઓને આપવામાં આવતા ભોજનમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓને ખાવા માટે આપવામાં આવેલ ખીર, ભાખરી, દાળ ઢોકળીના નમુના લેબમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ કસુરવારો સામે થશે કાર્યવાહી.
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળદર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જી.જી. હોસ્પિટલમાં ત્રણ શંકાસ્પદ બાળ દર્દીઓ દાખલ કરાયા છે. ત્રણેય બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર ચાલુ છે. જામનગરના બે અને દ્વારકાના એક બાળક સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસની શંકાએ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યા બાદ જ થશે વાયરસની પુષ્ટિ. નિષ્ણાત તબીબોની ટીમ સતત બાળકો પર નજર રાખી રહી. આરોગ્ય વિભાગ સતર્ક, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ વધારાયું છે. નાના બાળકોની સ્વચ્છતા અને સુરક્ષા રાખવા આરોગ્ય વિભાગની અપીલ
તાવ, ઊલટી, આંચકી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચન
જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા ગિરનારની મુલાકાતે આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આજે 18મી જુલાઈથી ગિરનાર પર્વત પર અવરજવર માટે ‘IN અને OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. યાત્રાળુઓ નવી-જૂની સીડી કે રોપવે મારફતે જતી વખતે QR કોડ સ્કેન કરીને ઓનલાઈન અથવા સ્માર્ટફોન ન હોય તો સ્થળ પર સ્ટાફની મદદથી ઓફલાઈન નોંધણી કરાવી શકશે. આ માટે યાત્રિકોએ પોતાની સાથે ઓળખકાર્ડ રાખવું પડશે. દર્શન કરીને પરત ફરતી વખતે ‘OUT’ એન્ટ્રી કરાવવી ફરજિયાત રહેશે. NIC ટીમ દ્વારા આ વિશેષ સુરક્ષા પોર્ટલ તૈયાર કરાયું છે, જે આપત્તિ સમયે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અને વન્યજીવોના સંરક્ષણમાં વહીવટી તંત્રને મદદરૂપ બનશે.
મોરબીના હળવદનાં ચરાડવા પાસે ખાનગી સ્કૂલ બસનો ગંભીર અકસ્માત સર્જાયો છે. દેવીપુર નજીક બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ. અકસ્માતમાં 8 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. 6 વિદ્યાર્થીઓને ચરાડવા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પાડ્યા છે. 2 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે મોરબી રિફર કરાયા છે. વિદ્યાર્થીઓને ચરાડવા લઈ જતી વખતે સર્જાયો અકસ્માત.
દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચુકને પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
ગુજરાતમાં શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 25 જિલ્લાના 94 તાલુકામાં વત્તાઓછા અંશે વરસાદ વરસ્યો છે. ગુજરાતની આસપાસ સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે, ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લગઊગ સાર્વત્રિક કહી શકાય તે રીતે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 2026ના વર્ષમાં ગુજરાતમાં અત્યાર સુધીનો 26 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના 4 તાલુકા એવા છે જ્યા હજુ સુધી એક મિલીમીટર પણ વરસાદ નોંધાયો નથી.
આજે 18 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 9:18 am, Sat, 18 July 26