
દાહોદ જિલ્લાના સરજુમી જંગલ વિસ્તારમાં, શિડ્યુલ્સ કેટેગરીમાં આવતા દીપડાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ દિપડાની હત્યા બાદ, આગલા પગના આઠ નખ કાપી લેવાયા હતા. તેની મુંછના વાળ પણ હત્યારાઓ દ્વારા કાપી લેવાયા હતા. દિપડાની હત્યાની જાણ થતા જ વન વિભાગે ત્વરીત કાર્યવાહી કરીને, બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના ઘરેથી દિપડાની અવયવો અને હત્યા માટે વપરાયેલ હથિયાર મળી આવ્યા છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
અમદાવાદના એસ જી હાઈવે પર આવેલા વૈષ્ણવદેવી બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થવા પામી હતી. અકસ્માતમાં ફોર્ચ્યુનર કારના આગળના ભાગનો ફુરચો બોલાઈ ગયો હતો. અકસ્માતને કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
વાવ-થરાદના થરાદના કરબુણ ગામના મંદિરમાં ચોરી થવા પામી છે. રાત્રિના સમયે થઈ કરબુણ ગામમા ચેહર માતા અને આશાપુરા માતાજીના મંદિરમા ચોરીની ઘટના. મંદિર નજીકમાં લાગેલા CCTV મા શંકાસ્પદ ત્રણ શખ્સોની અવર જવર થઈ કેદ થવા પામી છે. CCTV મા જોવા મળતા ત્રણ શખ્સો બંને મંદિરોમા ચોરીની અંજામ આપ્યાનું સ્થાનિકોને શંકા છે. બંને મંદિરોમાં માતાજીના કિંમતી આભૂષણ, રોકડ સહિત કરી ગયા ચોરી અજાણ્યા શખ્સો. સ્થાનિકોએ CCTV આધારે લેખિતમાં કરી થરાદ પોલીસને જાણ. થરાદ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આજે રવિવારના રોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. શહેરમાં સર્જાયેલા ગાઢ ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે, વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી.કાર સહીતના વાહન ચાલકો, વાહનની હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવતા નજરે પડતા હતા.
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ ગુજરાત આવતા જ, બોલ્યા કે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતમાં ભય છે. ભ્રષ્ટાચાર છે. કોઈ અવાજ નથી ઉઠાવી શકતા. અવાજ દબાવવામાં ભાજપ અગ્રેસર છે.
આજે 18 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:16 am, Sun, 18 January 26