
ગીર સોમનાથના કોડીનારના કાજ ગામે સિંહનું વીજ કરંટથી મોત થયું છે. વીજ કરંટના કારણે 3 થી 5 વર્ષના સિંહનું મોત થયું છે. ઘટના ચાર દિવસ પહેલાની છે પરંતુ પ્રકાશમાં હાલમાં સામે આવી છે. ખેડૂત દ્વારા વાડીએ જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસના કારણે રાખેલા વીજ કરંટથી શોક લાગ્યો છે. કાજ ગામના ખેડૂત પોતે પોતાની ભૂલ સમજી વન વિભાગ સમક્ષ રજૂ થયા. ખેડૂત માનસિંગ ઝાલા પોતાની ભૂલ સમજી સરેન્ડર કર્યું છે.
દાહોદ-લીમખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું કમકમાટીભર્યું મોત થયું છે. દાંતીયા ગામ પાસે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. વાહનની ટક્કર વાગતા દીપડો રોડના ડિવાઇડર પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. નેશનલ હાઈવે પેટ્રોલિંગની ટીમે મૃત દીપડાને જોતા વન વિભાગને કરી જાણ. ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો. વન વિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી.
કચ્છના ગાંધીધામના રોટરી સર્કલ પાસે આવેલ GJ-39 મેગી કોર્નર પાસે આશરે મધરાત્રે 1.25 વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં, 2 જણાના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય 2 જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેગી કોર્નર આગળ એક્ટિવા ચાલક અને બાઈક ચાલાક સહિત ચાર વ્યક્તિઓને બેકાબુ કા ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.
વ્યાજખોરના ત્રાસથી આપઘાતની ઘટના સામે આવી છે. અમિત તન્ના નામના વ્યક્તિએ વ્યાજખોર મિત્રના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા અમિત તન્નાએ વીડિયો પણ બનાવ્યો હતો. છેલ્લા છ વર્ષથી જયદીપ મૈયડ નામનો શખ્સ ત્રાસ આપતો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. મૃતક અમિત તન્નાની પત્નીનું નિવેદન સામે આવ્યું છે. એક લાખ વ્યાજે લીધા હતા જેની સામે 60 હજાર ભરી પણ દીધા હતા. અમિત પાસેથી આઠ કોરા ચેક લઈ લીધા હતા અને રકમ લખીને બેંકમાં નાખીને આરોપીએ કોર્ટમાં કેસ કરાવ્યો હતો. મૃતકની રિક્ષા પણ છેલ્લા ત્રણ વર્ષથી પડાવી લીધી હતી. 40 હજારની બાકી રકમ સામે હજુ પણ સાડા ત્રણ લાખની માંગણી વ્યાજખોર જયદીપ કરતો હોવાનો મૃતકના પત્નીનો આરોપ કર્યો છે.
મોડી રાત્રે NSUI કાર્યકરોએ સેવન્થ ડે સ્કૂલની તાળાબંધી કરી હતી. સ્કૂલમાં બનેલી ઘટનાના વિરોધમાં NSUI એ તાળું મારી દીધું. ઘટના બાદ ગઈકાલે DEO ને તાત્કાલિક કાર્યવાહીની કરી હતી માંગ. શાળા સામે કાર્યવાહી નહીં કરાય તો રોજ તાળાબંધી કરવા ઉચ્ચારી છે ચીમકી. NSUI એ આચાર્યને સસ્પેન્ડ કરવા કરી હતી માંગ.
જુનાગઢ મહાશિવરાત્રી પર્વને પગલે, રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 30 એકસ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝન હેઠળના અલગ અલગ 9 ડેપો ઉપરથી જૂનાગઢ જવા માટે 30 એકસ્ટ્રા બસ દોડાવાશે. આગામી 11 થી 15 તારીખ સુધી જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે.
પીએમ મોદીએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સને વેપાર કરાર પર અભિનંદન આપ્યા છે. સોશિયલ મીડિયા એક્સ ( ટ્વીટર) પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એક વચગાળાના વેપાર કરાર માટે એક માળખા પર કરાર પર પહોંચ્યા છે. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમારા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું.
Great news for India and USA!
We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.
This framework reflects the growing depth, trust and dynamism of… https://t.co/zs1ZLzamhd
— Narendra Modi (@narendramodi) February 7, 2026
મહેસાણા જિલ્લામાં મતદારોની સંખ્યામાં જંગી ઘટાડો નોંધાયો છે. મતદાર યાદી સુધારણા દરમિયાન 23,341 વાંધા અરજીઓ આવી હતી. નામ કમી કરવા માટે કુલ 23,341 અરજીઓનો ખડકલો થયો છે. SIRની કામગીરીમાં 1,94,105 મતદારોના નામ રદ થયા છે. સ્થળાંતર અને મૃત્યુ સહિતના કારણોસર મતદારો ઘટ્યા હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે. અગાઉ 17.91 લાખ મતદારો હતા, હવે 15.97 લાખ મતદારો રહેવા પામ્યા છે.
એક્સપ્રેસ હાઇવે પર કારમાં આગની ઘટના બની છે. માંગરોળના નરોલી નજીક કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા કાર ભડકે બળી ગઈ હતી. કાર નજીકથી એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ કોનો છે એ પોલીસ તપાસ કરી રહી છે. કાર વલસાડ પાસિંગની હોવાનું સામે આવ્યું છે. પોલીસ તેમજ 108 ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના મેમ્કો વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં પથ્થરમારાની ઘટના બની છે. દેરાણી જેઠાણી વચ્ચે ચાલી રહેલા મિલકતના ઝઘડામાં થયો પથ્થરમારો. પથ્થર મારામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. કૃષ્ણનગર પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર બનાવને લઈ કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં વાહનોમાં મોડીફાઈડ વ્હાઈટ લાઈટ વાળા વાહનો સામે ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. આંખોને આંજી નાખતી વાહનોની વ્હાઈટ લાઇટ સામે કાર્યવાહી. સુરતના વાય જંક્શન ખાતે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મોડીફાઇડ લાઇટવાળા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. રૂપિયા 1 હજારથી લઈ 6 હજાર સુધીનો દંડ કરાયો છે. અનેક વાહન ચાલકો RTO અને ટ્રાફિક પોલીસના સાણસામાં સપડાયા હતા. દંડ નહીં ભરે તો છ મહિના કેદ સુધીની જોગવાઈ.
આજે 07 ફેબ્રુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:18 am, Sat, 7 February 26