અટલ સેતુ પરથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 4 દિવસમાં આપઘાતની આજે બીજી ઘટના ઘટી છે.
ફિલિપ શાહ નામના વ્યક્તિએ અટલ સેતુ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. ફિલિપ શાહ મુંબઈના માટુંગા વિસ્તારનો રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. જો કે આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી. મૃતદેહ શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાની હુમલાને રોકવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાનના સુરક્ષા સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે. પુતિને નેતન્યાહૂ સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ પહેલા ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરતા પહેલા રશિયા પાસેથી લીલી ઝંડી લીધી હતી.
દેવભૂમિદ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના 84 લાખ રૂપિયા નથી. આથી લાઈટ બિલના રૂપિયા ભરવા માટે લોન લેવાનો નગરપાલિકા ને ઠરાવ કરવો પડ્યો છે. ખંભાળિયા નગરપાલિકાને લાઈટ બિલ ભરવા માટે 84 લાખની જરૂર છે.
ડેનમાર્કમાં ઈઝરાયેલની એમ્બેસી પાસે બે વિસ્ફોટ થયા છે. કોપનહેગન પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેઓ ઇઝરાયેલી દૂતાવાસની નજીક થયેલા બે વિસ્ફોટોની તપાસ કરી રહ્યા છે.
સુરતમાં ચોમાસામાં તુટી ગયેલા રોડ અંગે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, આગામી બે દિવસમાં ખરાબ રસ્તાઓ સારા બનાવી દેવાશે. ખરાબ રસ્તાને લઈ અધિકારીઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસ સતત વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્તા બનાવવાની કામગીરીમાં રુકાવટ આવી છે. આગામી શુક્રવાર સુધીમાં ખરાબ રસ્તાઓ સારા બનાવી દેવાશે. રસ્તા બનાવવાની કામગીરીમાં ઝડપ લાવવામાં આવશે. જો કામમાં કોઈ ક્ષતી રહી જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ દક્ષેશ માવાણીએ કહ્યું હતું
પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આઈએએસ અધિકારીને કહી રહ્યાં છે કે, વોટર સ્પોર્ટસ એકટીવીટીને મજૂરી આપો નહીં તો 42 ગામને બીચ ઉપર ઉતારીશું. જાઓ મુખ્યમંત્રીને જે રિપોર્ટીંગ કરવું હોય તે કરો.
સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં બુટલેગરનો વરઘોડો કાઢ્યો હતો. આરોપી બિપિન મારુંનો વિસ્તારમાં ખુબ જ દાદાગીરી છે.
જેથી પોલીસે આરોપીના વિસ્તારમાં જ વરઘોડો કાઢ્યો અને લોકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આરોપી બુટલેગર બિપિન મારુએ સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટ કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘બાપુએ મને શીખવ્યું છે કે, જીવવું હોય તો ડર્યા વિના જીવવું. સત્ય, પ્રેમ, કરુણા અને સમરસતાના માર્ગ પર ચાલવાનું છે. ગાંધીજી કોઈ વ્યક્તિ નથી, તેઓ જીવન જીવવાની અને વિચારવાની રીત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શત શત વંદન.
बापू ने ही मुझे सिखाया है, जीना है तो डरे बिना जीना है – सत्य, प्रेम, करुणा और सौहार्द के रास्ते पर सबको जोड़ते हुए चलना है।
गांधी जी एक व्यक्ति नहीं, जीने और सोचने का तरीका हैं।
राष्ट्रपिता महात्मा गांधी जी की जयंती पर उन्हें शत-शत नमन। pic.twitter.com/qikJehkZ8B
— Rahul Gandhi (@RahulGandhi) October 2, 2024
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH | Delhi: PM Narendra Modi pays tributes to Mahatma Gandhi on the occasion of his birth anniversary, at Rajghat. pic.twitter.com/fKz6Pg3smt
— ANI (@ANI) October 2, 2024
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઈરાન-ઈઝરાયેલ હુમલા પહેલા કહ્યું કે, “અમે 7 ઓક્ટોબરને આતંકવાદી હુમલો માનીએ છીએ. અમે સમજીએ છીએ કે ઇઝરાયેલે જવાબ આપવાની જરૂર છે, પરંતુ અમે એ પણ માનીએ છીએ કે કોઈપણ દેશ દ્વારા અપાતા કોઈપણ પ્રતિભાવમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને ધ્યાનમાં લેવો જોઈએ. “અમે સંઘર્ષને વધારવાની સંભાવના વિશે ચિંતિત છીએ.”
#WATCH | EAM Dr S Jaishankar says, “… We regard October 7 as a terrorist attack. We understand that Israel needed to respond, but we also believe that any response by any country has to take into account international humanitarian law and that it must be careful about any… pic.twitter.com/inGpavn01Y
— ANI (@ANI) October 2, 2024
લેબનીઝ સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે સવારે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં ઓછામાં ઓછા પાંચ ઇઝરાયેલી હુમલાઓ થયા હતા. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તે હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહી છે અને તેણે ઘણા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ જાહેર કર્યો છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ ગઈ છે. ઉપસળ ગામના નિશાળ ફળિયામાંથી આજે વહેલી સવારે દીપડી વન વિભાગે મુકેલા પાંજરામાં પુરાઈ જવા પામી છે. દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં બે બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. હિંસક દીપડાને પકડવા માટે રાજ્યમાંથી 17 જેટલી ટીમો કાર્યરત હતી.
ઈઝરાયેલે ઈરાનના હુમલાનો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈરાનને આ હુમલાનું પરિણામ ભોગવવું પડશે. અમારી પાસે યોજના છે અને અમે નિશ્ચિત સ્થળ અને સમયે પગલાં લઈશું.
ઈરાને ઈઝરાયેલ પર 400 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના નાગરિકોને બંકરોમાં રહેવા માટે કહ્યું છે. આ પહેલા ઈઝરાયેલના જાફા સ્ટેશન પર બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
ઈરાને ઈઝરાયેલ પર 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. હાલમાં મિસાઈલ હુમલો બંધ થઈ ગયો છે. પરંતુ હુમલા બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઝારખંડ ભાજપની 6 પરિવર્તન યાત્રા 2જી ઓક્ટોબરે હજારીબાગમાં સમાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સત્રને સંબોધિત કરશે અને ‘PM આદિવાસી ઉન્નત ગ્રામ યોજના’નું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હરિયાણાના ચરખી દાદરીમાં સભા કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વિનેશ ફોગાટ માટે પ્રચાર કરશે. સંઘ પ્રમુખ મોહન ભાગવત આજથી રાજસ્થાનના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભાગવત કોટા અને બારનની મુલાકાત લેશે. દિવસભરના મોટા અપડેટ્સ વાંચો…
Published On - 6:18 am, Wed, 2 October 24