બિહારમાં આજે બિહાર વિધાનસભામાં નીતિશ કુમારની નવી સરકારનો ફ્લોર ટેસ્ટ થવાનો છે. પરંતુ તે પહેલા તમામ પાર્ટીઓ પોતાના ધારાસભ્યોની કસોટી કરી રહી છે. જેડીયુ ભોજન સમારંભના બહાને પોતાના ધારાસભ્યોની ગણતરી કરી રહી છે. ભારત સરકાર આજે ફરી એકવાર ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને મળવા માટે પત્ર મોકલ્યો છે. આ બેઠક ચંદીગઢમાં સાંજે 5 વાગ્યે યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે બેઠક થશે.
જયંત ચૌધરી આજે બાગપતમાં પિતા અજીત સિંહની પ્રતિમાનું અનાવરણ કરશે. છપૌલી સાથે જનતાની લાગણી જોડાયેલી છે, જે ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ અને તેમના પુત્ર, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજીત સિંહનું કાર્યસ્થળ હતું. ચૌધરી જયંત સિંહ અજીત સિંહની પ્રતિમાનું અનાવરણ કરવા માટે આયોજિત રેલીમાં પોતાની તાકાત બતાવીને લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 13 ફેબ્રુઆરીએ UAEની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. જ્યાં તેઓ બીએપીએસના મંદિરનું ઉદ્ઘાટન કરશે, આ સિવાય પીએમ તેમની મુલાકાત દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને પણ મળશે.
ભરૂચના અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા આગ લાગી હતી. વાલિયા રોડ પર આવેલ ઓમકાર એકઝોટિકા નજીક ખુલ્લા પ્લોટમાં ફટાકડા ફોડવાને કારણે આગ લાગી હતી. ફટાકડાની ચિંગારી ઘાસ પર પડતાં ખુલ્લા પ્લોટમાં આગ ફેલાઈ ગતી. જો કે આગ પર કાબુ મેળી લેવાયો હતો.
ટીમ ઇંગ્લેન્ડના ખેલાડીને હિરાસર એરપોર્ટ ખાતે ઇમિગ્રેશનમાં મુશ્કેલી પડી હતી. જેના કારણે તેને એરપોર્ટની બહાર નીકળવા દિધો નહોતો. ટીમ ઇંગ્લેન્ડના ખેલાડી રેહાન અહેમદને સિંગલ એન્ટ્રી વિઝા હોવાના કારણે ઇમિગ્રેશનમાં મુશ્કેલી પડી હતી. જો કે કેપ્ટન બેન સ્ટોક્સ રેહાનની સાથે રહ્યાં હતા અને અન્ય ખેલાડીઓ પણ હોટલમાં જવાના બદલે, હિરાસર એરપોર્ટ પર જ રોકાઈ રહ્યાં હતા. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્રારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. ઈગ્લેન્ડના ખેલાડીઓને લઈને હિરાસર એરપોર્ટ પર 5:20 આસપાસ ફ્લાઈટ લેન્ડ થઈ હતી. 6:50 આસપાસ ટીમ રાજકોટ હોટલ ફોર્ચ્યુન ખાતે આવવા રવાના થઈ હતી.
બિહાર પોલીસે જેડીયુ ધારાસભ્ય બીમા ભારતીના પતિ અવધેશ મંડલની ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અવધેશ મંડલની પોલીસે સોમવારે સવારે અટકાયત કરી હતી અને હવે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
ગુજરાતીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસનો સામનો કરી રહેલા તેજસ્વી યાદવની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. તેજસ્વી યાદવે તેમની સામે અમદાવાદમાં ચાલી રહેલા કેસને ગુજરાતની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તેજસ્વી યાદવ સામે ‘ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’ એવા નિવેદનને કારણે તેમની સામે ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. SCમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તેજસ્વીએ પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે.
ભાજપે રાજસ્થાન રાજ્યસભા માટે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપ રાજસ્થાનથી ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે, અબ્દુલ મલિકને નોટિસ મોકલી છે. હલ્દવાની હિંસાના માસ્ટરમાઇન્ડ કહેવાતા અબ્દુલ મલિકને હિંસા-તોફાનમાં થયેલા નુકસાન અંગે ભરપાઈ કરવા માટે 2.44 કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે. અબ્દુલ મલિકને નુકસાનની ભરપાઈ કરવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ નુકસાનમાં સરકારી વાહનો અને હિંસામાં નુકસાન પામેલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેની વિગતો નોટિસમાં સામેલ છે.
રાજસ્થાનના આબુરોડ પાસે બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં કુલ નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી ચાર લોકોની હાલત ગંભીર બતાવાઈ રહી છે. આબુરોડ અંબાજી ચાર રસ્તા પર, એક કાર ચાલકે પકોડીની લારી અને બાઈકોને અડફેટે લીધા હતા. કારની અડફેટે આવતા કુલ નવ લોકોને ઈજા પહોચી હતી. જેમાંથી ચાર લોકોની હાલત નાજુક ગણાવાઈ છે. ઘાયલોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે.
હરિયાણા અને પંજાબના ખેડૂત સંગઠનોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા છે. પંજાબના બિયાસથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે હરિયાણા તરફ રવાના થયા છે. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને ઝડોદા કલાન બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. ડીસીપી અંકિત સિંહે કહ્યું કે, કલમ 144 લગાવી દેવામાં આવી છે. લોકોને સમૂહમાં આવવા, ટ્રેક્ટર-ટ્રોલી લાવવા અથવા કોઈપણ પ્રકારના હથિયાર લાવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ ફોર્સ, CRPF વગેરેને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશનની આજે મળેલી 87 મી વાર્ષિક સામાન્ય સભામાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જિલ્લાના ક્રિકેટને આગળ લાવવા માટે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. તો બીસીસીઆઇની મેચો જે જિલ્લામાં રમાય ત્યાં 90 ટકા ફી રકમ ડિસ્ટ્રિક્ટ એસો ને આપવા નિર્ણય લેવાયો છે.
ગ્રાઉન્ડ અને ઈન્ફ્રા માટે સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે. જિલ્લાના ક્રિકેટ કોચના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. 25 થી ઓછી રણજી મેચ રમેલા GCA ના ક્રિકેટરોના પેન્શનમાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. તો સાથોસાથ મહિલા ક્રિકેટને બીસીસીઆઇ હેઠળ આવરવામાં આવ્યા બાદ મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ મળશે પેન્શન આપવાનો નિર્ણય લેવાયો છે. આજની આ બેઠકમાં બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ અને GCA પ્રમુખ ધનરાજ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય લોકદળ (RLD)ના પ્રમુખ જયંત ચૌધરી NDAમાં જોડાઈ ગયા અને વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. એનડીએમાં સામેલ થવા અંગે જયંત ચૌધરીએ કહ્યું કે આ નિર્ણય પાછળ તેમના લોકોનું કલ્યાણ છે. અમારે બહુ ઓછા સમયમાં આ નિર્ણય લેવાનો હતો.
બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે બહુમતી સાબિત કરી છે. નીતિશ કુમાર સરકારની તરફેણમાં કુલ 129 વોટ પડ્યા. આ સાથે જ તેજસ્વી યાદવની વાતનો ફિયાસ્કો થયો છે.
કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ બાદ અમરનાથ રાજુરકરે પણ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે અશોક ચવ્હાણે રાજીનામા બાદ કહ્યું- હું કોઈ પાર્ટીમાં જોડાયો નથી.
કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ બાદ અમરનાથ રાજુરકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજુરકર અશોક ચવ્હાણના નજીકના સહયોગી છે.
પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં થશે. હાઈકોર્ટે EDને બે સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
દિલ્હીની સરહદો હાલમાં સીલ કરવામાં આવી છે. સિંધુ બોર્ડર હોય, ટિકરી હોય કે ગાઝીપુર બોર્ડર, તમામ જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ખેડૂતો પંજાબ અને હરિયાણા છોડી ગયા છે. 1500 થી 2000 ટ્રેક્ટર ટ્રોલીઓ આવવાની શક્યતા છે. આમાં વિવિધ રાજ્યોમાંથી 15 થી 20 હજાર ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરી શકે છે, તેથી દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થશે. સોરેને ધરપકડને ખોટી અને નિયમો વિરુદ્ધ ગણાવી છે. છેલ્લી સુનાવણી દરમિયાન EDએ હેમંત સોરેનના આરોપોનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો.
દિલ્હીમાં ધુમ્મસ વચ્ચે ઓછી વિઝિબિલિટીના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ ઓપરેશનમાં વિલંબ થયો હતો.
#WATCH | Delhi: Several flight operations delayed at IGI airport due to low visibility amid the fog. pic.twitter.com/ygnXXQc4BT
— ANI (@ANI) February 12, 2024
ભારત સરકાર આજે ફરી એકવાર ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને મળવા માટે પત્ર મોકલ્યો છે. આ બેઠક ચંદીગઢમાં 12મી ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે બેઠક થશે.
Published On - 7:20 am, Mon, 12 February 24