778 નવા કેસ, 12 મૃત્યુ
રાજ્યમાં આજે 7 જૂનના રોજ કોરોનાના નવા 778 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,17,012 થઇ છે અને મૃત્યુઆંક 9944 થયો છે. આજે
રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 3, વડોદરા શહેરમાં 1, સુરત શહેરમાં 1, જયારે રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. અન્ય મૃત્યુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી છે.
2613 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 7 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 2613 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,90,906 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 96.80 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 16,162 થયા છે, જેમાં 363 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 15,799 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)
આજે 2,51,192 લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં આજે 7 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,51,192 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં
1) 2015 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 3456 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 35,918 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 22,978 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,86,825 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)