Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 5 જૂનના રોજ લગભગ 80 દિવસો બાદ 1000 થી પણ ઓછા 996 નવા કેસો નોંધાયા હતા. આજે 6 જૂનના રોજ પણ 848 કેસો નોધાયા છે. આ સાથે 2915 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે 2,26,335 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
848 નવા કેસ, 12 મૃત્યુ
રાજ્યમાં આજે 6 જૂનના રોજ કોરોનાના નવા 996 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 12 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,16,234 થઇ છે અને મૃત્યુઆંક 9933 થયો છે. આજે
રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 3, વડોદરા શહેરમાં 1, સુરત શહેરમાં 1, જયારે રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
#GujaratCoronaUpdate#COVID19Dashboard
848 New cases
2915 Discharged
12 Deaths reported
18008 Active Cases,371 on ventilator
2,26,335 Got Vaccine Today
1,82,569 people between 18-44 got first dose@MoHFW_INDIA @CMOGuj @PIBAhmedabad @JayantiRavi @JpShivahare @DrNilamPatel04 @ANI pic.twitter.com/NMXNkbvxJh— GujHFWDept (@GujHFWDept) June 6, 2021
2915 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 6 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 2915 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,88,293 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 96.58 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 18,008 થયા છે, જેમાં 371 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 17,637 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)
આજે 2,26,335 લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં આજે 6 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,26,335 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં
1) 1431 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 1793 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 27,773 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 12,769 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,82,569 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)
આ પણ વાંચો : દેશમાં 1 લાખથી વધુ health volunteers તૈયાર કરવા BJP અભિયાન ચલાવશે