Govt Scheme : ખેતરે કાંટાળા તારની વાડ કરવી છે ? તો સરકારની આ યોજનાનો મેળવો લાભ

સરકારની આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ. આ યોજના માટેની પાત્રતા શુ છે. યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે. અરજી કેવી રીતે કરવી. સરકારના કયા વિભાગને, કયા અધિકારીને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.

Govt Scheme : ખેતરે કાંટાળા તારની વાડ કરવી છે ? તો સરકારની આ યોજનાનો મેળવો લાભ
Govt Scheme, barbed wire fence plans
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 5:42 PM

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ખેતરને ફરતે લોખંડના કાંટાળા તારની વાડ માટેની નાણાંકીય સહાય યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે લોખંડના કાંટાળા તારની વાડ માટેની નાણાંકીય સહાય યોજનાનો લાભ મેળવી શકો છો.

તાર ફેન્સીંગ યોજનાનો ઉદેશ્ય

ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થવાનો છે.

કેવી રીતે લેશો યોજનાનો લાભ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અરજીને લઈને કલસ્ટર બનાવવું પડશે. અને તેને I Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ ખેડૂતોની ઓછામાં ઓછા 5 હેકટરનો વિસ્તાર માન્ય રહેશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

તમામ ખેડૂતોએ સામુહિક અરજી કરતા સમયે એક ખેડૂતને જૂથના લીડર બનાવવાના રહેશે. અરજી સાથે ખેડૂતો કે ખેડૂતોના જૂથની વિગતો, બેંક ખાતાની વિગત પણ આપવી પડશે.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા કાંટાળા તાર માટે આવેલ અરજીઓનો કોમ્પ્યુટરરાઈઝ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. જેમની અરજી ડ્રોમાં ના આવે તેમની અરજી બીજા વર્ષે હાથ ધરાનાર ડ્રો માટે કેરીફોરવર્ડ કરવામાં આવશે.

જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી છે.

તાર ફેન્સીંગ યોજના મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે.

પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.100 પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના 50 % બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) 50 % સહાયની ચુકવણી કરવામાં આવશે.

બીજા તબકકાની ચુકવવાપાત્ર 50 % સહાય (રૂ.100 પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના 50 % બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે.

તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

  • અરજી સાથે ખેડ્રત / ખેડૂતોના જુથની વિગતો
  • બેંક ખાતાની વિગતો
  • 7/12, 8અ તેમજ આઘારકાર્ડની નકલ
  • ખેડૂતોએ જે જુથ બનાવ્યું હોય તેના લીડરને પેમેન્ટ કરવા અંગેનુ એફીડેવીટ
  • ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર
  • જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્રક

આ યોજના અંગેનો સરકારી ઠરાવ

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Latest News Updates

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">