Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે સોમનાથથી ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે

|

Sep 10, 2022 | 8:17 PM

Gujarat Assembly Election 2022 :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah)  11 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, તેમજ તેની બાદ અમરેલી જિલ્લાની 7 સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે.

Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે સોમનાથથી ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે
Union Home Minister Amit Shah

Follow us on

Gujarat Assembly Election 2022 :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)  11 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેવો સૌરાષ્ટ્રના બે જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે.  કેન્દ્રીય ગૃહપ્રધાન  અમિત શાહ ગીરસોમનાથ(Gir Somnath)   અને અમરેલી(Amreli)  જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તેવો સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, તેમજ તેની બાદ અમરેલી જિલ્લાની 7 સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. તેવો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લા ની સહકારી સંસ્થાના સભ્યો સાથે ચર્ચા કરશે. અમરેલીમાં ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઇને તેમના પ્રવાસ રૂટ ઉપર સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે

આ અંગે થોડા દિવસ પહેલા આયોજિત પત્રકાર પરિષદમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી ખાતે અમરેલીની સહકારી મંડળીની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. જેમાં દબદબાભેર ગૃહમંત્રીને આવકારવામાં આવશે. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે અમિત શાહના આગમનથી અમરેલીના સહકાર વિભાગનો વિકાસ વેગીલો બનશે.  અમરેલી જિલ્લા સહકાર સંસ્થાઓ દ્વારા સહકારથી સમૃઘ્ધિ નિયમ નીચે તમામ લોકોને રોજગારી મળે તેવા અનેક પ્રયાસો કરે છે અને આગામી દિવસોમાં વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે વધુ પ્રયાસો ટીમ સહકાર કરે છે. આમ અમરેલી જિલ્લામાં  કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ  (Amit Shah) આવી રહ્યા હોવાથી જિલ્લા ભાજપ, જિલ્લા સહકાર ટીમ, વિવિધ સહકારી મંડળી, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રીનાં સ્વાગત, આયોજન માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે.

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા વધ્યા છે વરિષ્ઠ નેતાઓના પ્રવાસ

ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે અવાર નવાર પ્રધાનમંત્રી મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને આકર્ષવા માટે વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પ્રધાનમંત્રી મોદી અમદાવાદીઓને આપશે મેટ્રોની ભેટ

અમદાવાદમાં  શહેરીજનોને નવરાત્રિના પહેલા દિવસે મેટ્રો ટ્રેનની ગિફટ વડાપ્રધાન મોદી આપશે. વસ્ત્રાલ-થલતેજ, APMC અને મોટેરા મેટ્રો રુટની મેટ્રો ટ્રેન તૈયાર થઇ ગઇ છે. 3 કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ 40 હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે.

Published On - 7:52 pm, Sat, 10 September 22

Next Article