VIDEO : રાજ્યભરના મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા, સોમનાથ મંદિરમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા

|

Aug 01, 2022 | 7:59 AM

સોમનાથ દાદાના દર્શન કરવા માટે હજારો શિવભક્તો પહોંચી રહ્યા છે.સવારે મંદિર પરિસરમાં બિલ્વપૂજા અને દેવાધિદેવ મહાદેવની પાલખીયાત્રા નીકળશે.

VIDEO : રાજ્યભરના મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા, સોમનાથ મંદિરમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા
Special arrangements of Shravan month

Follow us on

આજે શ્રાવણનો પહેલો સોમવાર છે.ભગવાન શિવની (Lord Shiva) પૂજા માટે શ્રાવણ સોમવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે, ત્યારે રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યા છે.પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં (Somnath Temple) દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.સોમનાથ દાદાના દર્શન કરવા માટે હજારો શિવભક્તો પહોંચી રહ્યા છે.સવારે મંદિર પરિસરમાં બિલ્વપૂજા અને દેવાધિદેવ મહાદેવની પાલખીયાત્રા નીકળશે.સોમનાથમાં (Somnath) આયોજિત પાલખીયાત્રામાં શિવભક્તો ખૂબ જ આસ્થા અને વિશ્વાસ ધરાવે છે.મોટી સંખ્યામાં ભક્તોને (Devotee)શિવદર્શનનો લહાવો અપાવવા સોમનાથ ટ્રસ્ટ સજ્જ થઇ ગયું છે.તો અમદાવાદ સહિત રાજ્યભરના શિવ મંદિરોમાં પૂજા, આરતી, હવનના યોજાશે.

ભક્તો ઘર બેઠા સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે

સોમનાથમાં ભાલકા તીર્થ ગોલોક ધામ ખાતે શ્રદ્ધાળુઓ માટે હિંડોળાના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભાવિક ભક્તો સોમનાથના દર્શન કરવાની સાથે સાથે  અન્ય તીર્થના દર્શન પણ કરી શકશે.ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જો કે ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું (Corona guidelines) ચુસ્તપાલન કરવાનું રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઉપરાંત ટ્રસ્‍ટની વેબસાઈટ અને સોશિયલ મીડિયાના ઓફિશિયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. સોમનાથ ખાતે મહાદેવને વિશિષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવશે તો દિવ્યાંગ, અશક્ત યાત્રિકો માટે વ્હિલચેર અને ઈ રીક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Next Article