આક્રમણકારોએ સોમનાથ મંદિરને 7-7 વાર તોડ્યુ પરંતુ કરોડો સનાતનીઓની આસ્થાને ન તોડી શક્યા- હુમલાના 1000 વર્ષ પૂર્ણ, વાંચો- દિવ્ય સોમનાથના જિર્ણોદ્ધારની કથા

ભાઈશ્રી રમેશ ભાઈ ઓઝાના શબ્દોમાં કહીએ તો "ભગવાન શિવ સ્વયં મૃત્યુંજય છે એને તો કોણ તોડી શકે?  પરંતુ લોકોની આસ્થાને પણ કોઈ તોડી ન શકે. એ મજબૂત આસ્થાના પ્રતિક, ભવ્ય અને દિવ્ય સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ખૂબ ગૌરવ સાથે અને મજબૂત શ્રદ્ધા સાથે તેના ઉંચા શિખરો પર લહેરાતી ધજા સનાતનનો સંદેશો અને વિશ્વ બંધુત્વની વાત સમગ્ર વિશ્વને ગાઈ બજાવીને કહી રહી છે"  ત્યારે આજે વાત કરીએ એજ ભવ્ય-દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર વિશે.

આક્રમણકારોએ સોમનાથ મંદિરને 7-7 વાર તોડ્યુ પરંતુ કરોડો સનાતનીઓની આસ્થાને ન તોડી શક્યા- હુમલાના 1000 વર્ષ પૂર્ણ, વાંચો- દિવ્ય સોમનાથના જિર્ણોદ્ધારની કથા
| Updated on: Feb 03, 2026 | 7:19 PM

ગુજરાતમાં પ્રભાસ પાટણ સ્થિત આવેલુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર એ કરોડો સનાતનીઓની આસ્થાનું પ્રતિક છે. તેને મહમુદ ગઝની સહિતના વિદેશી આક્રમણકારો દ્વારા અનેકવાર તોડવામાં આવ્યુ પરંતુ જે ખુદ અનંત, અવિનાશી, અચળ અને મહામૃત્યુંજય છે તેવા ભગવાન શિવ પ્રત્યેની આસ્થાને આક્રાંતાઓ તોડી ન શક્યા. આજે મહમુદ ગઝનીએ મંદિર પર કરેલા હુમલાના 1000 વર્ષ પૂર્ણ થયા છે અને સરદાર પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનો નવેસરથી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તેને પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સોમનાથમાં સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યુ છે.આ શૌર્ય ગાથાના સ્વાભિમાન પર્વ નિમીત્તે હાલ સોમનાથ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ છે. હાલ સોમનાથનું અડીખમ મંદિર સ્વયં જાણે પોતાની શૌર્ય ગાથા અને ઈતિહાસને વર્ણવતુ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.. ગુજરાતના પ્રભાસ પાટણ સ્થિત આવેલ સોમનાથ મંદિર એ ભારતીય સંસ્કૃતિનું આદિ અનાદિકાળથી પ્રતિક રહ્યુ છે. 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવુ સોમનાથ મંદિર કેટલુ પૌરાણિક છે તેન અંદાજો લગાવવો મુશ્કેલ છે. આ મંદિરને સૌપ્રથમ કોણે બંધાવ્યુ તેના વિશે પણ...

Published On - 8:41 pm, Fri, 9 January 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો