Somnath: આવતીકાલથી ખુલશે સોમનાથ મંદિર, પાસ દ્વારા મળશે ભક્તોને પ્રવેશ

|

Jun 10, 2021 | 6:56 PM

Somnath :  પ્રથમ જ્યાતિર્લિંગ સોમનાથ મંદિરનાં ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે.

Somnath:  પ્રથમ જ્યાતિર્લિંગ સોમનાથ મંદિરના ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે. જો કે,ભાવિક ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ  જાળવી રાખવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ભક્તો મહાદેવના દર્શન કરી શકશે, પરંતુ આરતીનો લાભ લઈ શકશે નહીં.

 

કોરોનાની ગાઈડલાઈનને (Corona Guideline)ધ્યાનમાં રાખીને આવતીકાલથી સોમનાથ મંદિર ખુલવાનું છે, ત્યારે સમગ્ર મંદિરને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.  ઉપરાંત પ્રવેશ દ્વાર પર સેનેટાઈઝર (Sanitizer) અને થર્મલ ગનની (Thermal Gun)વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

સોમનાથ મંદિરમાં (Somnath Temple) દર્શન માટે પ્રવેશ પાસ ફરજિયાત લેવાનો રહેશે, જે ઓનલાઈન (online) અને ઓફલાઈન(Ofline) મળી રહેશે. મહાદેવ ભક્તોને માત્ર  દર્શનનો  લાભ મળશે, પરંતુ ભક્તો આરતીનો લાભ લઈ શક્શે નહીં.

 

હાલ સોમનાથ મંદિર ખુલવાથી ભક્તો અને આસપાસનાં વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે કે,”છેલ્લાં 61 દિવસોથી મંદિર બંધ રહેવાથી અમને આર્થિક ફટકો પડ્યો છે.” મહત્વપૂર્ણ છે કે,  હવે મંદિર ખુલવાથી આસપાસના વેપારીઓને પણ રાહત થશે.

 

આ પણ વાંચો: Rath Yatra : જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા,શ્રદ્ધાળુઓને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી નહિ

Next Video