મરી પરવારી માનવતા ! ગીર સોમનાથમાં વિકૃત યુવકોએ 25 શ્વાનને લાકડીથી મારી મોતને ઘાટ ઉતાર્યા

|

Jan 28, 2023 | 3:03 PM

માણસો એટલા અત્યાચારી બન્યા કે 25 શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના વેરાવળના આજોઠા ગામની છે. સૂત્રો પ્રમાણે આજોઠા ગામમાં કેટલાક રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકોએ શ્વાનને લાકડી અને પાઈપો વડે ક્રૂરતાપૂર્વક માર માર્યો.

મરી પરવારી માનવતા ! ગીર સોમનાથમાં વિકૃત યુવકોએ 25 શ્વાનને લાકડીથી મારી મોતને ઘાટ ઉતાર્યા
Gir Somnath youths inhuman behavior

Follow us on

ગીરસોમનાથમાં માનવતા મરી પરવારી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. માણસો એટલા અત્યાચારી બન્યા કે 25 શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના વેરાવળના આજોઠા ગામની છે. સૂત્રો પ્રમાણે આજોઠા ગામમાં કેટલાક રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકોએ શ્વાનને લાકડી અને પાઈપો વડે ક્રૂરતાપૂર્વક માર માર્યો.

શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યુ

ફક્ત શ્વાન જ નહીં તેમના નાના ગલુડિયાને પણ લોકોએ કોથળામાં પૂરીને નિર્દયતાપૂર્વક માર માર્યો.  જ્યાં સુધી શ્વાનોએ દમ ન તોડ્યો ત્યાં સુધી અત્યાચારી લોકો તેમને માર મારતા રહ્યા. ગામમાં ખૂણે-ખૂણે શ્વાનને શોધી શોધીને મારવામાં આવ્યા. સૂત્રોનું માનીએ તો ગામમાં સમૂહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું. ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.

Next Article