ગીરસોમનાથમાં માનવતા મરી પરવારી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. માણસો એટલા અત્યાચારી બન્યા કે 25 શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના વેરાવળના આજોઠા ગામની છે. સૂત્રો પ્રમાણે આજોઠા ગામમાં કેટલાક રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકોએ શ્વાનને લાકડી અને પાઈપો વડે ક્રૂરતાપૂર્વક માર માર્યો.
માનવતા મરી પરવારી હોય તેવી ઘટના: શ્વાન અને તેના નાના ગલુડિયાને લોકોએ કોથળામાં પૂરીને નિર્દયતાપૂર્વક માર મારતા શ્વાને દમ તોડ્યો#GirSomnath #Gujarat #TV9News pic.twitter.com/aUoEgfFfqo
— Tv9 Gujarati (@tv9gujarati) January 28, 2023
ફક્ત શ્વાન જ નહીં તેમના નાના ગલુડિયાને પણ લોકોએ કોથળામાં પૂરીને નિર્દયતાપૂર્વક માર માર્યો. જ્યાં સુધી શ્વાનોએ દમ ન તોડ્યો ત્યાં સુધી અત્યાચારી લોકો તેમને માર મારતા રહ્યા. ગામમાં ખૂણે-ખૂણે શ્વાનને શોધી શોધીને મારવામાં આવ્યા. સૂત્રોનું માનીએ તો ગામમાં સમૂહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું. ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.