Gir Somnath: વિશ્વવિખ્યાત તાલાલા ગીરની કેસર કેરી પરથી ટળી માવઠાની ઘાત, કેરી રસિકો માણી શકશે કેસરનો સ્વાદ

|

Mar 18, 2023 | 2:15 PM

Gir Somnath: વિશ્વવિખ્યાત તાલાલા ગીરની કેસર કેરી પરથી માવઠાની ઘાત ટળી છે. હવે જો કોઈ માવઠારૂપી વિઘ્ન ન આવે તો ચારેક માસ મીઠી મધૂરી કેસર કેરીનો સ્વાદ કેરી રસીકો માણી શકશે. હાલ રાજ્યભરમાં કમોસમી વરસાદની માવઠાની આગાહી વચ્ચે કેરીના પાકનો બચાવ થયો છે.

Gir Somnath: વિશ્વવિખ્યાત તાલાલા ગીરની કેસર કેરી પરથી ટળી માવઠાની ઘાત, કેરી રસિકો માણી શકશે કેસરનો સ્વાદ

Follow us on

સમગ્ર રાજ્યભરમાં માવઠાની આગાહી વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનો આબાદ બચાવ થયો છે. કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથક માં કમોસમી માવઠાની અસર ન થતાં કેસર કેરીના બગીચાઓ ધરાવનારાઓમાં આનંદ છવાયો છે. જો કે ખેડૂતો ઈશ્વરને એવી પણ પ્રાર્થના કરી રહ્યા છે કે જો હવે પછી કમોસમી વરસાદ ન આવે તો કેરીના પાકને કોઈ જોખમ નથી અને કેરી રસિકો 4 મહિના મીઠી મધુરી કેસર કેરીને સ્વાદ માણી શકશે.

હવામાન વિભાગે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમા સૌરાષ્ટ્ર પંથકનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી માવઠાની આગાહી કરાઈ હતી. પરંતુ તેમાં ગીર ગઢડા અને જંગલ બોર્ડરના વિસ્તારો માવઠાની અસર દેખાઈ છે. ગીરગઢડામાં કરા સાથે વરસાદ પણ પડ્યો હતો.

તે સિવાય કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં આ માવઠાની કોઈ અસર જોવા મળી ન હતી. જેના કારણે કેરી પકવતા ખેડૂતોના માથેથી જાણે મોટી ઘાત ગઈ હોય તેવુ માની રહ્યા છે. આ વર્ષે ત્રણ તબક્કામાં ફ્લાવરિંગ પ્રક્રિયા થતા જો હજુ પણ માવઠું ન આવે તો ચોમાસા સુધી કેસર કેરી લોકોને ખાવા મળશે અને તે પણ વ્યાજબી ભાવે ખરીદી શકશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગત વર્ષ કરતા આ વર્ષે આંબા પર બમ્પર ફ્લાવરિંગ

પ્રતિ વર્ષ કરતા આ વર્ષે ભારે માત્રામાં ફ્લાવરિંગ આવ્યું છે જેમાં ત્રણ તબક્કામાં કેરીનો પાક જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાની કેરી બજારમાં પહોંચી ચૂકી છે. બીજા તબક્કામાં હજુ નાની ખાખડીઓ આંબાના ઝાડ પર છે. તો ત્રીજા તબક્કામાં નાની મગ જેવડી એટલે મગ્યો ફ્લાવરિંગ જોવા મળે છે. જેના કારણે કેસર કેરીને જો કોઈ માવઠાનું વિઘ્ન કે રોગ ન આવે તો લાંબો સમય સુધી લોકો સસ્તા ભાવે મધુરી કેસરનો સ્વાદ માણી શકશે.

વરસાદનું વિઘ્ન ન નડે તો ચાર મહિના સુધી માણી શકાશે કેસરનો સ્વાદ

કેરીની ખેતી કરનાર નિષ્ણાંત ખેડૂતોની વાત માનીએ તો કેરીનો પ્રથમ તબક્કામાં ખાવા લાયક એક માસમાં સારી કેરી બજારમાં જોવા મળશે. જ્યારે ચોમાસામાં અંતિમ તબક્કાની કેસર કેરી બજારમાં જોવા મળે તો નવાઈ રહેશે નહીં. આમ કેસર કેરી જે માત્ર બે અઢી માસ ખાવા મળતી એ કેસર કેરી આ વખતે જો કોઈ વિઘ્ન નહીં આવે તો ચારેક માસ સુધી લોકો માણી શકશે.

ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોશી- ગીરસોમનાથ

આ પણ વાંચો: Gujarati video: જૂનાગઢના વંથલીમાં કમોસમી વરસાદ, કેસર કેરીના પાક અંગે ખેડૂતો ચિંતામાં

Next Article