ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી, પાકને નુકશાન થવાની ભીતિ

|

Dec 01, 2021 | 7:10 PM

ગીર સોમનાથ જિલ્લા પડી રહેલા કમોસમી વરસાદના પગલે મગફળી, તુવેર, ચણા, એરંડા અને વિવિધ કઠોળના શિયાળુ પાકની આશા પર કમોસમી માવઠાએ પાણી ફેરવતા ખેડૂતો ચિંતિત બન્યા છે

ગુજરાતના(Gujarat)મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ(Unseasonal Rain)વરસી રહ્યો છે.કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ(Gir Somnath)જિલ્લાના ખેડૂતોની(Farmers)સ્થિતિ કફોડી બની છે.ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાની ભોગવવી પડી છે.ગઈકાલથી જિલ્લાભરમાં ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે.

ગીર સોમનાથ જિલ્લા પડી રહેલા કમોસમી વરસાદના પગલે મગફળી, તુવેર, ચણા, એરંડા અને વિવિધ કઠોળના શિયાળુ પાકની આશા પર કમોસમી માવઠાએ પાણી ફેરવતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને સરકાર આ અંગે પણ વિચારી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat)છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને, રાજયમાં (Unseasonal rains ) વરસાદી મોસમ અને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological Department)રાજયમાં હજું બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે આજે રાજયના અનેક ઠેકાણે વરસાદ નોંધાયો છે.

શિયાળાની (winter) સીઝનમાં હાડ થિજાવતી (cold)ઠંડીની સાથેસાથે વરસાદનો પણ માહોલ જોવા મળી રહ્યો. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની (Unseasonal rains )શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal rains )આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી. અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા છે.

આ પણ  વાંચો :  Ahmedabad : પોલીસ ગિરફ્તથી બચવા આરોપીએ ઝેર પીધુ, પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપો

આ પણ  વાંચો :વડોદરા યુવતી રેપ અને આપઘાત કેસ હજુ પણ વણઉકલ્યો, પીડિતાના માતાએ સંસ્થા પર લગાવ્યા આરોપ

Published On - 6:45 pm, Wed, 1 December 21

Next Video