Gir Somnath: જળબંબાકારથી ઘણા ડેમ ઓવરફ્લો, નદીઓ બની ગાંડીતૂર અને મંદિર થયા જલમગ્ન, જાણો સ્થિતિ

|

Sep 27, 2021 | 11:03 PM

Gir Somnath: જિલ્લામાં વરસાદથી જળબંબાકાર જોવા મળ્યો. કેટલાય ડેમ ઓવરફ્લો થયા તો ક્યાંક નદી ગાંડીતૂર બની છે. જેના કારણે અમુક મંદિર જલમગ્ન થયાના અહેવાલ છે.

રાજ્યમાં સતત મેઘ મહેરને પગલે જળાશયોમાં સતત નવા નીરની આવક ચાલુ છે. ગીર સોમનાથમાં અવિરત વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગીરગઢડા નજીકનો મચ્છુન્દ્રી ડેમ થયો ઓવરફ્લો થયો છે. ત્યારે કોડીનાર નજીકના શિંગોડા ડેમના બે દરવાજો અડધો ફૂટ ખોલાયા હતા. પાણી વધતા રાવલ ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો અને બાદમાં તણા ઓઅન ત્રણ દરવાજા ખોલાયા.

વાત કરીએ ઉનાની તો ઉના ગ્રામ્ય વિસ્તારમાં અને જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદથી શાહી નદી ગાંડીતૂર બની. અને નદીમાં ઘોડાપુરના કારણે વાઝડી અને ભાચા ગામ નજીક પુલને પાણી સ્પર્શી ગયા હતા. પ્રાચીતિર્થ નજીક નદીમાં પૂર આવતા ભૂલૂશ્વર મહાદેવ મંદિર જલમગ્ન થયેલું જોવા મળ્યું ત્યારે સરસ્વતી નદીમાં ફરી પૂર આવતા માધવરાયજી મંદિર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું.

જણાવી દઈએ કે  સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ભાદર-1 ડેમ પણ છલકાયો છે. અને ડેમના કુલ 15 દરવાજા 3 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ સતત પાણીની આવક થઇ રહી છે. તેના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. તો તાપીના ઉકાઇ ડેમનું જળસ્તર વધતા 13 દરવાજા ખોલવાની ફરજ પડી છે.  તાપી નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. સારા વરસાદને પગલે ધરોઇ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. આજે બપોર સુધી ધરોઈ ડેમની જળસપાટી 603.92 ફૂટે પહોંચી હતી.

 

આ પણ વાંચો: પહેલા રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, સિંગતેલ અને હવે શાકભાજીના ભાવ આસમાને, ઘર કેમ ચલાવવું ?

આ પણ વાંચો: તાપી ડેમની સ્થિતિ ભયજનક સમાન, ડેમના 13 ગેટ ખોલવામાં આવ્યાં, તાપી કાંઠાના 22 ગામોને એલર્ટ કરાયા

Published On - 11:03 pm, Mon, 27 September 21

Next Video