GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે. નાના વેપારીઓ અને દુકાનદારોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે. અને રાત્રીના 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકે તે માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે ધંધા રોજગાર પર અસર પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારને ઉપલક્ષમાં રાખતા ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ધંધા રોજગારને વેગ મળે અને વેપારીઓ નુકસાનની ભરપાઇ કરી શકે તે માટે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો