GUJARAT : જાણો કોરોનાની નવી Guidelineમાં રાત્રિ કર્ફ્યુમાં કઈ કઈ પ્રવૃત્તિઓને છૂટ અપાઈ?

|

Jan 07, 2022 | 8:39 PM

Night Curfew in Gujarat : ગુજરાતના 8 મહાનગરો ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે.

GUJARAT : જાણો કોરોનાની નવી Guidelineમાં રાત્રિ કર્ફ્યુમાં કઈ કઈ પ્રવૃત્તિઓને છૂટ અપાઈ?
These activities were allowed in the night curfew in the new guideline of Corona in Gujarat

Follow us on

રાજ્યના 10 શહેરોમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યું અમલી રહેશે. રાત્રિ કર્ફ્યું દરમિયાન સરકારે અમૂક પ્રવૃત્તિઓને છૂટ આપી છે.

GANDHINAGAR : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં કોરોના (Corona)વાયરસના વધતા જતા કેસ અંગે નવી ગાઈડલાઈન (guideline) જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મૂજબ ગુજરાતના 8 મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને જામનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફ્યું (Night Curfew in Gujarat) લાગુ કરવામાં આવ્યો છે. આ 10 શહેરોમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યું અમલી રહેશે. રાત્રિ કર્ફ્યું દરમિયાન સરકારે અમૂક પ્રવૃત્તિઓને છૂટ આપી છે, જે આ મૂજબ છે :

રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે :

1) બીમાર વ્યક્તિ , સગર્ભાઓ , અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

2)મુસાફરોને રેલ્વે , એરપોર્ટ , ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

3)રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારના રાજકીય , સામાજીક , શૈક્ષણિક , સાંસ્કૃતિક , ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહી.

4)આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો / અધિકારીઓ / કર્મચારીઓએ માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.

5)અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર , ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન , સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

6) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી / કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

રાત્રિ કર્ફયુના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ / પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે :

1) COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક / તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.

2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.

3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.

4) ઈન્ટરનેટ / ટેલિફોન / મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર / આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.

5) પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા , ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.

6) પેટ્રોલ , ડિઝલ , એલ.પી.જી. / સી.એન.જી. / પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ , પોર્ટ ઓફ લોડિંગ , ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ

7 ) પોસ્ટ અને કુરીયર સર્વિસ

8) ખાનગી સિક્યુરીટી સેવા

9) પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.

10) કૃષિ કામગીરી , પેસ્ટ ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા

11) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.

12) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર / સેવાના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ – કોમર્સ સેવાઓ.

13) તમામ પ્રકારના ઉત્પાદન / ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

14) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો : GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ

આ પણ વાંચો : GUJARAT : કોરોનાનો મહા વિસ્ફોટ, નવા 5396 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 18 હજારને પાર

Published On - 8:35 pm, Fri, 7 January 22

Next Article