આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલેનો કોરોના પર ખુલાસો, ગભરાવાની જરૂર નથી, માત્ર સતર્કતા જરૂરી

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, કોરોનાના JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે.

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલેનો કોરોના પર ખુલાસો, ગભરાવાની જરૂર નથી, માત્ર સતર્કતા જરૂરી
Corona case in gujarat
| Edited By: | Updated on: Dec 28, 2023 | 2:32 PM

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતી વિશે હેલ્થ મિનિસ્ટરે પોતાની વાત મુકી છે. તેને તારીખ 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે.

જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલા કોરોના કેસના જીનોમ સિકવન્સીગના રીપોર્ટ તારીખ 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1 વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

આમ JN.1 વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે.

કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે

આમ જોઈએ તો કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાનો ફેલાવો ઘણો ઓછો છે, પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે તેમ તેમણે કહ્યું હતું. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે. તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિયન્ટના કેસ વધુ છે. તેમ મંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:28 pm, Thu, 28 December 23