Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 695 કેસ, 11 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 15 હજારથી ઓછા થયા
Gujarat Corona Update : રાજ્યમાં આજે 8 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,58,797 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 8 જૂનના રોજ કોરોનાના 695 નવા કેસ નોંધાયા છે. આ સાથે 2122 દર્દીઓ સાજા થયા છે. આ રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે 2,58,797 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
695 નવા કેસ, 11 મૃત્યુ રાજ્યમાં આજે 8 જૂનના રોજ કોરોનાના નવા 695 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,17,707 થઇ છે અને મૃત્યુઆંક 9955 થયો છે. આજે
રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 3, વડોદરા શહેરમાં 1, સુરત શહેરમાં 1, જામનગરમાં 1, જયારે રાજકોટ, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. અન્ય મૃત્યુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી છે.
અમદાવાદમાં 108, વડોદરામાં 99 નવા કેસ રાજ્યમાં આજે 8 જૂનના રોજ અમદાવાદમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 108, વડોદરામાં 99, સુરતમાં 79, રાજકોટમાં 32, જામનગરમાં 18, તથા જુનાગઢમાં 11 અને ભાવનગરમાં કોરોનાના 4 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)
#GujaratCoronaUpdate#COVID19Dashboard 695 New cases 2122 Discharged 11 Deaths reported 14724 Active Cases,351 on ventilator 2,58,797 Got Vaccine Today 1,85,166 people between 18-44 got first dose@MoHFW_INDIA @CMOGuj @Nitinbhai_Patel @JayantiRavi @JpShivahare @DDNewsGujarati pic.twitter.com/Fy1rLICba6
— GujHFWDept (@GujHFWDept) June 8, 2021
2122 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 8 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 2122 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 96.98 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 14,724 થયા છે, જેમાં 351 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 14,373 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)
આજે 2,58,797 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં આજે 8 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,58,797 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં
1) 2031 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 4110 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 38,630 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 28,860 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,83,016 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 2150 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)