ગુજરાતમાં કોરોના વકર્યો, નવા 632 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 3289એ પહોંચી

|

Jul 01, 2022 | 10:00 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 01 જુલાઇના રોજ કોરોનાના નવા 632 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3289 એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં શહેરમાં કોરોનાના નવા 258 કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં કોરોના વકર્યો, નવા 632 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 3289એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 01 જુલાઇના રોજ કોરોનાના નવા 632 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3289 એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)  શહેરમાં કોરોનાના નવા 258 કેસ નોંધાયા છે.સુરતમાં 85, વડોદરામાં 42, વડોદરામાં 42, વલસાડમાં 33 કેસ 01 મૃત્યુ, ગાંધીનગરમાં 32, મહેસાણામાં 30, નવસારીમાં 18, સુરત જિલ્લામાં 18, કચ્છમાં 14, રાજકોટમાં 14,ગાંધીનગર જિલ્લામાં 11, પાટણમાં 11, ભાવનગરમાં કોર્પોરેશનમાં 08, દ્વારકામાં 07, રાજકોટમાં 07, સાબરકાંઠા 06, ભરૂચમાં 05, અમદાવાદમાં 04, આણંદમાં 04, જામનગરમાં 04, મોરબીમાં 04,વડોદરા જિલ્લામાં 04, અમરેલીમાં 02, ભાવનગરમાં 02, ખેડામાં 02, સુરેન્દ્રનગરમાં 02, બનાસકાંઠા 01, દાહોદમાં 01, ગીર સોમનાથમાં 01, પંચમહાલમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

Published On - 9:11 pm, Fri, 1 July 22

Next Article