ગુજરાતમાં (Gujarat)કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 09 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 203 કેસ થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1377 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.03 થયો. જ્યારે કોરોનાથી આજે 190 દર્દીઓ સાજા થયા છે. તેમજ આજે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 54,(Surat)અમદાવાદમાં 46, વડોદરામાં 16, રાજકોટ જિલ્લામાં 09, રાજકોટમાં 08, સુરત જિલ્લામાં 08, વલસાડમાં 08, બનાસકાંઠામાં 07, વડોદરા જિલ્લામાં 07, ભરૂચમાં 06, પોરબંદરમાં 06, નવસારીમાં 05, ગાંધીનગરમાં 03, મહેસાણામાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, દ્વારકામાં 02, ખેડામાં 02, કચ્છમાં 02, પંચમહાલમાં 02, ભાવનગરમાં 01, ગીર સોમનાથમાં 01, જામનગર જિલ્લામાં 01, જામનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.
રસીકરણ અને નિયમોના પાલનને કારણે કોરોનાને હરાવવામાં ભારતીયો સફળ થઈ રહ્યા છે. તેવામાં હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં નવરાત્રિનો તહેવાર શરુ થશે. તહેવારોના સમયમાં વધારે સાવધાન રહેવાની જરુર છે. તહેવારોને કારણે થતા કાર્યક્રમોમાં ભીડને કારણે કોરોના સંક્રમણ વધી પણ શકે છે.
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
Published On - 10:15 pm, Fri, 9 September 22