ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસોના સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 10 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 171 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1336 થવા પામી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.03 થયો છે. જ્યારે કોરોનાથી 212 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 51,(Ahmedabad) સુરતમાં 51, વડોદરામાં 10, સુરત જિલ્લામાં 07, વડોદરા જિલ્લામાં 07, મહેસાણામાં 04, પોરબંદરમાં 04, રાજકોટ જિલ્લામાં 04, રાજકોટમાં 04, ગાંધીનગરમાં 03, નવસારીમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, અમરેલીમાં 02, બનાસકાંઠામાં 02, કચ્છમાં 02, પંચમહાલમાં 02, સાબરકાંઠામાં 02, આણંદમાં 01, અરવલ્લીમાં 01, ભાવનગરમાં 01, દ્વારકામાં 01, ખેડામાં 01, પાટણમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.
રસીકરણ અને નિયમોના પાલનને કારણે કોરોનાને હરાવવામાં ભારતીયો સફળ થઈ રહ્યા છે. તેવામાં હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં નવરાત્રિનો તહેવાર શરુ થશે. તહેવારોના સમયમાં વધારે સાવધાન રહેવાની જરુર છે. તહેવારોને કારણે થતા કાર્યક્રમોમાં ભીડને કારણે કોરોના સંક્રમણ વધી પણ શકે છે.
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
Published On - 9:13 pm, Sat, 10 September 22