ગુજરાતમાં કોરોનાના નવા 138 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 1111 એ પહોંચી

|

Sep 20, 2022 | 8:24 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 20 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 138 કેસ નોંધાયા છે જ્યારે આજે કોરોનાથી 198 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 138 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 1111 એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 20 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 138 કેસ નોંધાયા છે જ્યારે આજે કોરોનાથી 198 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 1111 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. રાજ્યમાં નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 34,(Ahmedabad)સુરતમાં 33, વડોદરામાં 17, બનાસકાંઠામાં 15, મહેસાણામાં 05, સુરત જિલ્લામાં 05, વલસાડમાં 05, રાજકોટમાં 04, ભરૂચમાં 03, ભાવનગરમાં 03, જામનગરમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, ગાંધીનગર જિલ્લામાં 02, કચ્છમાં 02, રાજકોટ જિલ્લામાં 02, નવસારીમાં 01, પંચમહાલમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

નિયમોનું પાલન કરો

કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.

 

Published On - 8:23 pm, Tue, 20 September 22

Next Article