ગુજરાતમાં કોરોનાના નવા 240 કેસ, બે લોકોના મૃત્યુ, 98 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસના ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 03 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 240 કેસ નોંધાયા છે. તેમજ બે લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 240 કેસ, બે લોકોના મૃત્યુ, 98 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update
| Edited By: | Updated on: Sep 03, 2022 | 8:12 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસના ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 03 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 240 કેસ નોંધાયા છે. તેમજ બે લોકોના મૃત્યુ થયા છે.જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1410 થવા પામી છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.02 ટકા થયો છે. તેમજ કોરોનાથી 98 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો  અમદાવાદમાં (Ahmedabad)  60 કેસ- 01 મૃત્યુ,  વડોદરામાં 37, સુરતમાં 30, વલસાડમાં 12, રાજકોટમાં 10, ભરૂચમાં 07, ડાંગમાં 07, પાટણમાં 07, મહેસાણામાં 06, સાબરકાંઠામાં 06, વડોદરામાં 06, કચ્છમાં 04, પંચમહાલમાં 04, આણંદમાં 03 કેસ, 01 મૃત્યુ, ગાંધીનગરમાં 02, જામનગરમાં 02, નવસારીમાં 02, સુરેન્દ્રનગરમાં 02, અમરેલીમાં 01, ભાવનગર જિલ્લામાં 01, ભાવનગર કોર્પોરેશનમાં 01, દ્વારકામાં 01, ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, મોરબીમાં 01, નર્મદામાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

ચોમાસામાં વધારે સાવધાન રહેજો

ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.