માવઠાથી થયેલા પાક નુકસાનના વળતર અંગે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી દીધા, જાણો શું કહ્યું

એક બાજું ખેડૂતો માવઠાથી ભારે નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ કોઈ નુકસાની નથી તેવુ જણાવી સહાય મુદ્દે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી લીધા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 10:13 PM

GANDHINAGAR : રાજ્યમાં કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને નુકસાન ન થયું હોવાથી તેમને સહાય નહિ મળે.આવું નિવેદન આપ્યુ છે રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે. એક બાજું ખેડૂતો માવઠાથી ભારે નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ કોઈ નુકસાની નથી તેવુ જણાવી સહાય મુદ્દે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી લીધા. રાજ્યમાં 17થી 19 નવેમ્બર વચ્ચે 32 તાલુકામાં બે ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો.જેમાં કપાસ, ડાંગર, મગફળી, બાજરી, તલ જેવા ખરીફ પાકો બગડ્યા હોવાનું ખેડૂતોએ કહ્યું હતું. આ પાક નુકસાનની સહાય આપવા સરકાર પાસે માગ પણ કરી હતી.છતાં કૃષિપ્રધાન સહાય અંગે હાથ ઉંચા કરી રહ્યાં છે.

આ પહેલા 23 નવેમ્બરે એવા સમાચાર સામે આવ્યાં હતા કે વરસાદના કારણે થયેલા નુકસાની મુદ્દે કૃષિપ્રધાન રાઘવજી પટેલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક યોજશે.જેમાં પાક નુકસાની સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિમંત્રી હકારાત્મક વલણ અપનાવ્યું છે અને સહાય અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંતિમ નિર્ણય કરશે.મહત્વનું છે કે, 11 જિલ્લાના 48 તાલુકઓમાં કમોસમી વરસાદ પડ્યો છે…48 તાલુકા પૈકી 23 તાલુકામાં તો 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના 11 જિલ્લાના 48 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. 48 તાલુકાઓ પૈકી 23 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના 11 તાલુકા, મહેસાણાના 6 તાલુકા,પાટણના 8 અને સાબરકાંઠાના 5 તાલુકાનો સમાવેશ થાય છે. તો છોટા ઉદેપુરના 1, જૂનાગઢના 1, ડાંગના 2 તાલુકા,નર્મદાના 3, સુરતના 5, વલસાડના 2, કચ્છના 2 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : કોરોના મૃત્યુસહાય અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : Fake Currency : એકલા અમદાવાદમાં 8 વર્ષમાં 6 કરોડથી વધુની નકલી ચલણી નોટો પકડાઈ છે

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">