Ahmedabad: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર 14 અને 15 તારીખે કચ્છમાં ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે દરેક દરિયાકીનારે પોલીસ ખડકી દેવામાં આવી છે, હાલ NDRFને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગુજરાત સરકાર અને PMO પણ સતત આ વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે.
આ પણ વાચો: Breaking News: ગુજરાતમાં વાવાઝોડાની પરિસ્થિતિને લઈને PMO દ્વારા સતત મોનિટરીંગ
વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું જોઈએ, ઘરની બહાર નીકળવું જોઈએ નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા જોઈએ, ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા જોઈએ, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું જોઈએ.
આ ઉપરાંત વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઈજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા જોઈએ, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો જોઈએ, ખુલ્લા-છૂટા પડેલા વાયરોને અડવું જોઈએ નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા જોઈએ, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:41 pm, Sun, 11 June 23