ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો આ મુજબ છે.
વાવાઝોડુ બિપરજોય 15 જુન સુધીમાં કચ્છના માંડવીથી લઈ પાકિસ્તાનના કરાંચી સુધી ટકરાવાની આશંકા છે. તેને ધ્યાને રાખી કંડલા પોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે. કંડલામાં વર્ષ 1998માં આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. જેમા 10 હજારથી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે વાવાઝોડાની વિનાશક્તાને ધ્યાને રાખી સાવધાની અને તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે અને કોઈ નાની સરખી પણ ચૂક ન રહી જાય તેનુ પૂરતુ ધ્યાન રખાઈ રહ્યુ છે. પીએમઓ અને ગૃહમંત્રાલય તરફથી પણ આ વાવાઝોડાની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વાવાઝોડાની પળેપળની સ્થિતિથી પીએમઓને જાણકારી આપી રહ્યા છે, ગઈકાલે સાંજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે વાતચીત કરી હતી અને વાવાઝોડાની તમામ ગતિવિધિની તલસ્પર્શી વિગતો આપી હતી.
કંડલા પોર્ટ પર વાવાઝોડુ બિપરજોય 15 જૂને સાંજે હિટ કરે તેવી શક્યતાને જોતા પહેલેથી જ પોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે. અહીં રહેલા કાર્ગો સહિતના જહાજોને સમુદ્રમાં મોકલી દેવામાં આવ્યા છે. જેથી કરીને જહાજને કોઈ પ્રકારનું નુકસાન થવા ન પામે. આ સાથે અહીં રહેલા કંટેનરને ટ્રક પર લાદી દેવામાં આવ્યા છે. જેથી કરીને ત્યાં પણ કોઈપણ પ્રકારની નુકસાની ન થાય.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો