ગુજરાતમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ પૂર્વે કેટલાક મંત્રીઓના કેબિન ખાલી કરાયા

|

Sep 15, 2021 | 1:36 PM

ગાંધીનગરસ્વર્ણિમ સંકુલમાંથી મંત્રીઓની ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈશ્વર પરમારની કેબિન ખાલી કરવામાં આવી છે.

ગુજરાત(Gujarat) ના સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)નવા મંત્રીમંડળ માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જો કે એક તરફ નવા કેબિનેટ પ્રધાનો કોણ બનશે તેની ચર્ચા થઈ રહી છે. ત્યારે ગાંધીનગર(Gandhinagar)સ્વર્ણિમ સંકુલમાંથી મંત્રીઓની ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈશ્વર પરમારની કેબિન ખાલી કરવામાં આવી છે.

કેબિનેટ ફેરબદલ પૂર્વે જ ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયાને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. તેમજ લોકો ચર્ચા છે કે જે પ્રધાનોની ઓફિસ ખાલી કરવામાં આવી છે તેમના પત્તા કપાવાની સંભાવના વધુ છે.

આ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથ વિધિ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. ટીવીનાઇન પાસે સૌથી પહેલા આ 10 નવા નામની યાદી છે…આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ – આ નામ પ્રધાનમંડળમાં લગભગ નક્કી જ છે.

રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના માટેની ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. નવા પ્રધાનમંડળની રચના માટે રાજ્યના પ્રભારી તેમજ કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવે ભાજપ નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરી છે. ભુપેન્દ્ર યાદવે સવારથી જ રાજ્યના પૂર્વ પ્રધાનો તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ પણ વાંચો : Health : ભારતમાં સિંગલ ડોઝની વેક્સીન માટે આશાનું કિરણ, સ્પુટનિક લાઈટના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી

આ પણ વાંચો : Junagadh : ઓઝત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માણાવદરના અનેક ગામો બેટમાં ફેરવાયા

 

Published On - 1:13 pm, Wed, 15 September 21

Next Video