ગુજરાતમાં કોરોનાના નવા 111 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 762 થઈ

|

Oct 12, 2022 | 9:34 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 12 ઓકટોબરના રોજ કોરોનાના નવા 111 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 81 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 762 એ પહોંચી છે.

ગુજરાતમાં કોરોનાના નવા 111 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 762 થઈ
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 12 ઓકટોબરના રોજ કોરોનાના નવા 111 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 81 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 762 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.08 ટકા થયો છે.જ્યારે આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 32,(Ahmedabad)  સુરતમાં 19, વડોદરામાં 13, મહેસાણામાં 08, રાજકોટમાં 06, વલસાડમાં 06, બનાસકાંઠામાં 04, સુરત જિલ્લામાં 03, ભાવનગરમાં 02, કચ્છમાં 02, નવસારીમાં 02, રાજકોટ જિલ્લામાં 02, સાબરકાંઠામાં 02, તાપીમાં 02, વડોદરા જિલ્લામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 01, આણંદમાં 01, બોટાદમાં 01, ગીર સોમનાથમાં 01 અને જામનગરમાં 01 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી પણ પુર ઝડપે ચાલી રહી છે.જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?
Calcium For Health: કેવી રીતે ખબર પડે છે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે?
શ્રાદ્ધ પક્ષમાં બનાવો શાનદાર પનીર રબડી

તહેવારોમાં સાચવજો

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. લોકો તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. તહેવારોના આનંદ સાથે કોરોનાના નિયમોનું પાલન કરવુ પણ એટલુ જ જરુરી છે. નહીં તો કોરોના કેસ વધી પણ શકે છે. મહામારીના 2 વર્ષ બાદ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર આ તહેવાર ઉજવવામાં આવશે. એવા સમયે બેદકારી ભવિષ્યમાં ભારે પણ પડી શકે છે.

Published On - 9:31 pm, Wed, 12 October 22

Next Article