ખેડૂતોનો પાક ભારે વરસાદના લીધે નિષ્ફળ, શું સરકાર કરશે મદદ?

|

Oct 01, 2019 | 3:50 PM

આકાશમાંથી વરસતો વરસાદ એક સમયે જે ખેડૂતો માટે કાચા સોના જેવો હતો.  એ જ વરસાદ હવે આ જગતના તાત માટે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં વરસેલા વરસાદે ખેડૂતોએ પરેસેવો સિંચીને ઉભા કરેલા મહામૂલી પાક પર પાણી ફેરવી દીધુ છે.   હવે આ ખેડૂતો દિવાળી કેવી રીતે કરશે તે મોટો સવાલ છે? […]

ખેડૂતોનો પાક ભારે વરસાદના લીધે નિષ્ફળ, શું સરકાર કરશે મદદ?
પ્રતિકાત્મક તસવીર

Follow us on

આકાશમાંથી વરસતો વરસાદ એક સમયે જે ખેડૂતો માટે કાચા સોના જેવો હતો.  એ જ વરસાદ હવે આ જગતના તાત માટે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં વરસેલા વરસાદે ખેડૂતોએ પરેસેવો સિંચીને ઉભા કરેલા મહામૂલી પાક પર પાણી ફેરવી દીધુ છે.   હવે આ ખેડૂતો દિવાળી કેવી રીતે કરશે તે મોટો સવાલ છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

આ પણ વાંચો : અરે! ક્રિકેટ ટીમને 42 ગાડી સાથે રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા, ગૌતમ ગંભીરે કર્યો કટાક્ષ

વરસાદની સિઝન પહેલા જે ઘરતીપુત્રો સારા વરસાદ માટે મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા હતા. એ જ ખેડૂતો હવે મેઘરાજાની વિદાય માટે પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે રાજ્યભરના વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે લીલા કુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ જિલ્લો પણ લીલા દુષ્કાળની પરિસ્તિથિમાંથી બાકાત નથી. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના મોટાભાગના ગામોમાં હજારો હેક્ટર જમીનોમાં પાણી ભરાતા મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. ખેતરમાં વાવેલા એરંડા જુવાર કપાસ ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યુ છે. પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો સરકાર સમક્ષ વળતરની અપેક્ષા રાખી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યના 13થી વધુ જિલ્લામાં હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ છે. જેમાં અમદાવાદ પણ હવે બાકાત રહ્યું નથી. અમદાવાદ જિલ્લાના વિરમગામ ,દસ્ક્રોઈ , માંડલ તાલુકાના ગામોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. જો કે ઘરતીપુત્રો માટે રાહતના સમાચાર એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતોની સહાય માટે બાંહેધરી આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકશાનથી ખેડૂતો હવે ચિંતાતૂર છે કારણ કે દેવું કરીને ખેતરોમાં ડાંગરનું વાવેતર કર્યું હતું. કેટલાક ખેડૂતો તો દિવાળી મનાવવા માટે સારો પાક થવાની રાહ જોઈ રહ્યા હતા.  મેઘરાજાએ આવા ખેડૂતોની તમામ આશા પર પાણી ફેરવી દીધુ છે. હવે દસ્ક્રોઈ તાલુકાના ખેડૂતોનો એકમાત્ર સહારો સરકારની જાહેરાત છે. જો જાહેરાત પ્રમાણે ખેડૂતોને સહાયની ચૂકવણી થશે તો ખેડૂતોને રાહત મળે તેમ છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article