સુરેન્દ્રનગરનો ખખડધજ એસ.ટી. ડેપો: બેસવા નથી બાંકડા, નથી પીવા પાણી, જાણો સમગ્ર વિગત

સુરેન્દ્રનગરનું જૂનું બસ સ્ટેન્ડ પાડી નવું આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માટે હોશે હોશે ખાત મુર્હૂત પણ કરી નાખ્યું હતું. પરંતુ સત સાત વર્ષથી મંદગતિના કામથી લોકો પરેશાન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 6:29 AM

સુરેન્દ્રનગર જીલ્લા મલકનું શહેર છે અને સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેશન માંથી રોજ હજારો મુસાફરો આવક જાવક કરે છે પરંતુ છેલ્લા દશ વર્ષથી એસ.ટી. બસ સ્ટેશનનું બાંધકામ ચાલે છે, જેથી મુસાફરો હાલાકી ભોગવી રહયા છે. હાલ હંગામી બસ સ્ટેશન બનાવેલ છે. પરંતુ તેમાં કોઇ સુવિધાઓ નથી. અહીં પાણીની પરબ બંધ છે, પંખા બંધ છે, યોગ્ય રીતે બસ ઉભી રાખવા કોઈ જગ્યા નથી જેથી મુસાફરો એ તાત્કાલિક બસ સ્ટેશનનું કામ પુરૂ કરવા માંગ કરી છે.

તો ધૂળ ખાતુ સુરેન્દ્રનગરનું ધુળિયું બસ સ્ટેન્ડ હાલ ખરાબ હાલતમાં જોવા મળે છે. બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ કરો એટલે ધૂળની ડમરીઓથી તમારું સ્વાગત થાય. સ્થિતિ એટલી ખરાબ કે બસ સ્ટેન્ડની અંદર રોડ જ બન્યા નથી. તો હંગામી બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે કોઈ સુવિધા જ નથી. ત્યારે મુસાફરો માટે પતરાના સેડ તો નાખ્યા છે પણ મુસાફરોને બેસવા માટે બાકડા નથી. તો પંખા તો છે પણ તે ચાલુ અવસ્થામાં નથી. પીવાના પાણીની પરબ તો છે પણ પીવા લાયક પાણી નથી. અને બીજી તરફ સફાઈના અભાવે શૌચાલયમાં ગંદકી છે.

જ્યારે સુરેન્દ્રનગરનું જૂનું બસ સ્ટેન્ડ પાડી નવું આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માટે હોશે હોશે ખાત મુર્હૂત પણ કરી નાખ્યું હતું. ત્યારે લોકો ખુશ હતા કે સારી સુવિધા મળશે. પરંતુ છેલ્લા સાત વર્ષથી નવા બસ સ્ટેન્ડના કાચબાની ગતિએ ચાલતા કામના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. સુવિધાના નામે તો ઝીરો છે. રાત્રે તો બસ સ્ટેન્ડ ડરામણું બની જાય છે. બસ સ્ટેન્ડમાં લાઈટની પણ સુવિધા ન હોવાથી મુસાફરો રાત્રે રોકાતા ડરે છે.

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : બન્ને કુખ્યાત આરોપીઓના મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર, જાણો શું કહ્યું

આ પણ વાંચો: સુરેન્દ્રનગર એન્કાઉન્ટર અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">